SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ સુરતનાં જિનાલયો ૧૯૭૨માં થયાની નોંધ છે. વહીવટ શેઠ હીરાલાલ ચુનીલાલ જરીવાલા હસ્તક હતો જેઓ ઝાંપાબજાર, ખરાદી શેરીમાં રહેતા હતા. આજે જિનાલયમાં કુલ બત્રીસ આરસપ્રતિમા તથા તેસઠ ધાતુપ્રતિમા છે. વહીવટ શ્રી આણસૂરગચ્છ ઉમરવાડી પાર્શ્વનાથ જૈન દેરાસર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી શાંતિચંદ સોભાગચંદ ચોકસી હસ્તક છે. સ્થાનિક માહિતી પ્રમાણે પૂર્વે જિનાલય નાનું હતું. જીર્ણોદ્ધાર બાદ પદ્મપ્રભુનું જિનાલય પણ આ જિનાલયમાં સમાવી લેવામાં આવ્યું છે. સં. ૧૬૫૬માં શંખેશ્વર પાર્શ્વનાથ છંદમાં ઉમરવાડી પાર્શ્વનાથના નામનો ઉલ્લેખ છે તે સંદર્ભમાં આ જિનાલય સં. ૧૬૫૬ પૂર્વેનું છે. ઓસવાલ મહોલ્લો, ગોપીપુરા ૯. મનમોહન પાર્શ્વનાથ (સં. ૧૯૫૫ પૂર્વે) ગોપીપુરામાં ઓસવાલ મહોલ્લામાં શ્રી મનમોહન પાર્શ્વનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે. સામે શ્રી ચંદ્રપ્રભુ તથા ઉસ્તાદનું શ્રી શાંતિનાથનું જિનાલય છે. પગથિયાં ચડતાં નાનો ઓટલો છે. રંગકામ તથા સાદી કોતરણી છે. એક પ્રવેશદ્વાર છે. રંગમંડપ લંબચોરસ છે. ઘુમ્મટ મોટો છે. ફરસ આરસની છે. બે ગોખ પૈકી ડાબી બાજુ ગોખમાં પાર્શ્વનાથ તથા જમણી બાજુ ગોખમાં મલ્લિનાથની આરસપ્રતિમા છે. મલ્લિનાથના ગોખમાં દ્વારપાલ તથા હાથીનું સુંદર ચિત્રકામ છે. સણ ગર્ભદ્વાર છે. ૧૫” ઊંચી મૂળનાયક શ્રી મનમોહન પાર્શ્વનાથની પ્રતિમા પર લેખ નથી. કુલ પચીસ આરસપ્રતિમા પૈકી બે કાઉસ્સગ્ગિયા છે અને ચોત્રીસ ધાતુપ્રતિમા છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલય ધાબાબંધી દર્શાવ્યું છે. તે સમયે કુલ વીસ આરસપ્રતિમા તથા સત્તાવીસ ધાતુપ્રતિમા હતી. સ્થિતિ સાધારણ હતી. સં. ૧૯૬૮માં તીર્થગાઈડ(ભાગ-૧)માં તથા સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં આ જિનાલયની નોંધ છે. સં. ૧૯૮૯માં સુરત ચેત્યપરિપાટીમાં આ જિનાલયનો સં. ૧૯૫૫ના વૈશાખ સુદ ૬ના રોજ જીર્ણોદ્ધાર થયો હોવાની નોંધ છે. જીર્ણોદ્ધાર સમયે રૂપચંદ લલ્લુભાઈએ ભગવાન ગાદીનશીન કર્યા હતા અને મોહનલાલજી મહારાજે પ્રતિષ્ઠા કરાવી હતી. વહીવટ શેઠ નગીનચંદ કપુરચંદ ઝવેરી હસ્તક હતો. ઉપરાંત આ દેરાસરનો ફરી જીર્ણોદ્ધાર થયો છે – તેવી નોંધ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy