SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ 30 સુરતનાં જિનાલયો ૧૭મા સૈકામાં પં. રત્નકુશલકૃત શ્રી પાર્શ્વનાથ સંખ્યા સ્તવનમાં ઊંભરવાડીનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયો છે : સોમ ચિંતામણિ સ્વામી જન ચિંતા હરો રે કંબોઈ શ્રીમાલ 'દેવદયાલ અકલ જિન ઊંભરવાડીક રે તવસે વાણિ રસાલ. ૧૭ સં. ૧૭૪૬માં શ્રી શીલવિજયજીકૃત તીર્થમાલામાં પણ ઉંબરવાડી પાર્શ્વનાથનો ઉલ્લેખ છે જે નીચેની પંક્તિઓમાં થયેલો છે : નવસારી સૂરતિમંડાણ ચિંતામણિ સોહિ જિનભાણ, ઉંબરવાડી જીરાઉલો આદિનાથ ગાઉ ગુણનિલો. ૧૧૧ સં. ૧૭૫૧માં તપાગચ્છના શ્રી જશવિજય શિષ્ય મુનિ શ્રી જિનવિજયે સુરતમાં ગુણાવલી રાસ રચ્યો. તેમાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયો છે : સંવત સતર એકાવના વરર્સ વિજયદશમી બહુ નહિં, સૂરતિ બંદિરમાં રાસ રચ્યો એ, સાહ વિજસિવ માણેકજી ગેહે રે. ૧૨ કહે જિનવિજય મુનિ ધન્યાસીઈ સત્તાવીસમી ઢાલ, ઉબરવાડી પાસ પસાઈ ઘરિ ઘરિ મંગલમાલ રે. ૧૩ સં. ૧૭૯૩માં લાધાશાહકૃત સુરત ચૈત્યપરિપાટીમાં આ જિનાલયનો ઉલ્લેખ થયો નથી. સં. ૧૮૭૭માં દીપવિજયકૃત સુરત કી ગઝલમાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબ થયેલો છે : સંખેસરા શ્રી જિનરાજ, ઉબરવાડી શ્રી મહારાજ ગોડી પાસ જિનવર દેવ, સારે ભક્ત જન પ્રભુ સેવ. ૬૪ સે. ૧૯૧૫માં હુકમમુનિએ શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ સ્તવનની રચના કરી હોવાની નોંધ સં. ૧૯૯૬માં સૂર્યપુર રાસમાળામાં પૃ. ૨૦૩-૨૦૪ પર કરવામાં આવી છે જે નીચે મુજબ છે: પાસ ઉમરવાડીજી ભેટીએ જેમ ભવનો લાહવો લીજીએજી રે. પા. આંકણી જ સકલે દેશ શિરોમણી ત્યાહાં કાશી દેશકીજીએ જી ૧ નગરી વાણારસી સુંદરું ત્યાંહાં જનમ ભોમકા લીજીયેજી હો, પોસવદી દસમીને દીને નક્ષેત્ર વૈશાકી જીયેજી હો, ત્યાંહાં જનમ દીવસ તે જાણીએ, સુર અસુરા સેવીએજી હો, ત્યાંહાં રાજા અસ્વસેન જાણીએ ત્યાંહાં ભાતા વાંચા કહો સેવીએજી હો, ત્યાંહાં નકર કાયાદી પતિ રૂધીર અમૃત સમ વષાણાજો. ત્રીસવરસ ઘરવાસમાં વસ્યા પ્રભાવતી સાથમાં હો, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy