________________
૨૮
સુરતનાં જિનાલયો ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં શેઠ ખુશાલભાઈ ફૂલચંદના નામ સાથે આ ઘરદેરાસરમાં કુલ પાંચ આરસપ્રતિમા, પાંચ ધાતુપ્રતિમા તથા રત્નની એક પ્રતિમા હોવાનો ઉલ્લેખ છે.
સં. ૧૯૬૮માં તીર્થગાઈડ(ભાગ-૧)માં ઓસવાળ મહોલ્લામાં આ જિનાલયનો ઉલ્લેખ
સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં ઓસવાલ મહોલ્લામાં ફૂલચંદ ઉત્તમચંદનું દહેરાસર – એ મુજબનો ઉલ્લેખ છે.
સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં શાંતિનાથનું આ જિનાલય બંધાવનાર તરીકે ફુલાભાઈ ઉત્તમચંદનો ઉલ્લેખ છે. ઉપરાંત બે આરસના ગોખલાની કોતરણી જોવાલાયક છે – એ મુજબની વિશેષ નોંધ હતી. તે સમયે વહીવટ નગીનચંદ ફૂલચંદ હસ્તક હતો.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધ તરીકે થયો છે. કુલ આઠ આરસપ્રતિમા, છ ધાતુપ્રાતમાં, એક સ્ફટિકપ્રતિમા તથા ત્રણ રજત ચોવીસીપટ હોવાનો ઉલ્લેખ હતો. વહીવટ શેઠ ખુશાલચંદ ફૂલચંદ હસ્તક હતો અને સ્થિતિ સારી હતી.
સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તર યાદીમાં આ જિનાલયનો ઉસ્તાદનું જિનાલય તરીકે ઉલ્લેખ છે. પ્રતિષ્ઠા સં. ૧૯૩૯ પોષ વદ ૮ ને બુધવારે થઈ હોવાની તથા શા. ઉદચંદ ખૂબચંદે બંધાવ્યું હોવાની નોંધ હતી. વહીવટ શેઠ માણેકલાલ સાકરચંદ ખુશાલચંદ ઉસ્તાદ હસ્તક હતો.
આજે વહીવટદાર તરીકે શ્રી જગદીશભાઈ માણેકલાલ ઝવેરી, શ્રી સિદ્ધાર્થભાઈ જવાહરલાલ ઝવેરી અને શ્રી હેમલભાઈ રમેશભાઈ ઝવેરી સેવાઓ આપી રહ્યા છે.
ટૂંકમાં આ જિનાલયનો સમય સં. ૧૯૩૯નો છે.
ઓસવાલ મહોલ્લો, ગોપીપુરા
૮. ઉમરવાડી પાર્શ્વનાથ (સં. ૧૬૫૬ પૂર્વે) ગોપીપુરામાં ઓસવાલ મહોલ્લા મધ્ય શ્રી ઉમરવાડી પાર્શ્વનાથનું સામરણયુક્ત જિનાલય આવેલું છે. બાજુમાં શ્રી શાંતિનાથનું જિનાલય-ઉસ્તાદનું જિનાલય આવેલું છે. જીર્ણોદ્ધાર સં. ૨૦૪૯માં જ થયો હોવાથી જિનાલય નવીન લાગે છે.
લોખંડની જાળીવાળા ઝાંપાની આજુબાજુ ગુલાબી રંગના કોતરણીયુક્ત સ્થંભો છે. ઝાંપો પસાર કરતાં મધ્યમ કદનો ચોક આવે છે. અહીંથી પાંચેક પગથિયાં ચડતાં જિનાલયમાં પ્રવેશવાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org