________________
સુરતનાં જિનાલયો
૨૭
શ્રી ચંદ્રપ્રભુસ્વામીની પ્રતિમા પર “સં. ૧..(૭?)૯૭ ........ અંચલગચ્છ ભટ્ટારક ઉદયસાગરસૂરિ પ્રતિષ્ઠિત' – એ મુજબનું લખાણ વાંચી શકાય છે.
સં. ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તાર યાદીમાં તથા સં. ૨૦૫૪માં સુરત તીર્થ વંદુ કર જોડમાં જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૮૧૦માં થઈ હોવાની નોંધ છે. તથા સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં જિનાલય બંધાયા સં. ૧૮૫૦ લગભગ દર્શાવી છે. શ્રી ઉદયસાગરસૂરિ સં. ૧૭૯૭માં સુરતમાં બિરાજમાન હતા અને તે વર્ષમાં તેઓશ્રીને સૂરિપદ અર્પવામાં આવ્યું હતું તે મુજબના ઉલ્લેખો ગ્રંથમાં મળે છે.
આ સંદર્ભમાં જિનાલયનો સમય સં. ૧૮૧૦ આસપાસનો માની શકાય.
ઓસવાલ મહોલ્લો
૭. શાંતિનાથ (ઘરદેરાસર) (સં. ૧૯૩૯) ગોપીપુરાના ઓસવાલ મહોલ્લામાં શ્રી ઉમરવાડી પાર્શ્વનાથના જિનાલય અને શ્રી ચંદ્રપ્રભુસ્વામીના જિનાલયની વચ્ચે શ્રી શાંતિનાથનું ઘરદેરાસર આવેલું છે.
ખુશાલચંદ ફૂલચંદ પરિવારનું આ ઘરદેરાસર માતૃ-આશિષ ફૂલેટની બાજુમાં ભોંયતળિયે છે. આગળના ભાગમાં મધ્યમ કદનો ચોક છે. આપણી જમણી બાજુ શ્રી ઉમરવાડી પાર્શ્વનાથના જિનાલયમાં પ્રવેશવાનું દ્વાર છે. સામે જ આ ઘરદેરાસરમાં પ્રવેશવાનું દ્વાર છે.
જિનાલયની જેમ રંગમંડપ તથા ગભારાની રચના છે. રંગમંડપ લંબચોરસ છે. ફરસ આરસની છે. સ્થંભો પર ફૂલ-બુટ્ટાની સુંદર ભાત ઉપસાવેલી છે. છતમાં પીઢિયા છે. નાની હાંડીઓથી રંગમંડપ શોભે છે. એક બાજુ હવાઉજાસ માટેનું જાળિયું-હવાબારિયું છે.
એક ગર્ભદ્વાર છે. ૫” ઊંચી મૂળનાયક શ્રી શાંતિનાથની પ્રતિમા સૂર્ય-ચંદ્રની સોનેરી કોતરણીયુક્ત આરસની છત્રીમાં બિરાજે છે. જમણી બાજુ શ્રી ચંદ્રપ્રભુ અને શ્રી આદેશ્વર તથા ડાબી બાજુ શ્રી પાર્શ્વનાથ અને શ્રી સંભવનાથ છે. મૂળનાયકની નીચે શ્રી મુનિસુવ્રતસ્વામી અને તેની નીચે ૯” ઊંચી સ્ફટિકપ્રતિમા છે. જેમણી તથા ડાબી બાજુ દીવાલે બારીક, કલાત્મક કોતરણીયુક્ત આરસની છત્રીવાળા ગોખમાં શ્રી સંભવનાથ તથા શ્રી અજિતનાથ છે. કુલ આઠ આરસપ્રતિમા તથા પાંચ ધાતુપ્રતિમા ઉપરાંત એક સ્ફટિકપ્રતિમા છે.
મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુસ્વામીની પ્રતિમા પર લેખ નથી પણ છત્રી પર નીચે મુજબનું લખાણ છે : | ‘શા. ઉદેચંદ ખૂબચંદ આ દહેરાસર બાંધી પ્રતીસ્થા સંવત ૧૯૩૯ના પોશ વદ ૮ વા. બુધે કરી છે. આ પવાશન બનાવનાર આગરાવાલા મીશતરી ફરશમજીએ કરૂ છે.'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org