SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ સુરતનાં જિનાલયો ૧૭૯૭નો લેખ છે. કુલ પચીસ આરસપ્રતિમા તથા પંચોતેર ધાતુપ્રતિમા છે. આરસના નાના પગલાંની એક જોડ છે તથા પાંચ જિનનો આરસનો એક પટ છે. અહીં ડાબી બાજુ ગોખમાં ઘંટાકર્ણવીર છે જેની પ્રતિષ્ઠા સં. ૨૦૪૫માં શ્રી જીવનચંદ ઝવેરચંદ તથા કેસરીચંદ કલ્યાણચંદ પરિવાર દ્વારા કરવામાં આવી છે. આ જિનાલયનો છેલ્લો જીર્ણોદ્ધાર સં- ૨૦૪૫માં થયો છે. તે અગાઉ સં ૧૯૯૧માં વૈશાખ સુદ ૧૦ ને સોમવારના રોજ ખરતરગચ્છના શા પ્રેમચંદ કલ્યાણચંદ તથા શા કેસરીચંદ કલ્યાણચંદ તરફથી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. સ્થાનિક માહિતી પ્રમાણે પૂર્વે જિનાલય કાષ્ઠનું હતું. ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલય શિખરબંધી દર્શાવ્યું હતું. કુલ સત્તાવીસ આરસપ્રતિમા, ત્રાણુ ધાતુપ્રતિમા તથા એક રત્નપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. સં. ૧૯૬૮માં તીર્થગાઇડ(ભાગ-૧)માં તથા સં. ૧૯૮૪માં સુરતની જૈન ડિરેક્ટરીમાં આ જિનાલય ઓસવાલ મહોલ્લામાં વિદ્યમાન હોવાની નોંધ છે. સં. ૧૯૮૯માં સુરત ચૈત્યપરિપાટીમાં આ જિનાલય ખરતરગચ્છના જિનાલય તરીકે ઓળખાતું હોવાની નોંધ છે. દાદા સાહેબનાં પગલાં હોવાનો તથા જિનાલયની સ્થિતિ સારી હોવાનો ઉલ્લેખ છે. ઉપરાંત ‘અંચલગચ્છ ભટ્ટારક ઉદયસાગરસૂરિ પ્રતિષ્ઠિતં' – એ મુજબનો લેખ મૂળનાયક પ્રતિમા પર હોવાની નોંધ છે. સં. ૧૯૮૯માં વહીવટ કેશરીચંદ કલ્યાણચંદ હસ્તક હતો. સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયની બાંધણી સામરણવાળી દર્શાવી છે. એટલે કે અગાઉ જણાવ્યું તેમ સં. ૧૯૯૧માં જીર્ણોદ્ધાર સમયે આ જિનાલય સામરણવાળું બન્યું. સં ૨૦૧૦માં કુલ છવ્વીસ આરસપ્રતિમા, સિત્યાસી ધાતુપ્રતિમા તથા એક સ્ફટિકપ્રતિમા હતી. જિનાલય બંધાયા સંવત ૧૮૫૦ લગભગ દર્શાવી હતી. ઉપરાંત વહીવટ શેઠ ઝવેરચંદ કેસરીચંદ હસ્તક હોવાનો તથા સ્થિતિ સારી હોવાનો ઉલ્લેખ હતો. સં ૨૦૨૩માં સુરતનાં જિનાલયોની સવિસ્તાર યાદીમાં આ જિનાલયની પ્રતિષ્ઠા સં ૧૮૧૦માં આ શ્રી ઉદયસાગરસૂરિની નિશ્રામાં થઈ હોવાની તથા સં. ૧૯૯૧માં જીર્ણોદ્ધાર થયો હોવાની નોંધ છે. તથા વહીવટ શેઠ ઝવેરચંદ કેસરીચંદ હસ્તક હોવાનો ઉલ્લેખ છે. સં. ૨૦૫૪માં સુરત તીર્થ વંદુ કર જોડ ગ્રંથમાં આ જિનાલય ખરતરગચ્છના જિનાલય તરીકે ઓળખાતું હોવાની તથા જિનાલયની પ્રતિષ્ઠા સં ૧૮૧૦માં થઈ હોવાની નોંધ છે. આજે જિનાલયનો વહીવટ શ્રી જીવણચંદ ઝવેરચંદ ઝવેરી, શ્રી હિતેશભાઈ તલકચંદ ઝવેરી તથા શ્રી સરસ્વતીચંદ્ર રતનચંદ ઝવેરી હસ્તક છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy