________________
સુરતનાં જિનાલયો
૨૫
મેલાપચંદને ત્યાં – એ મુજબ આ ઘરદેરાસરનો ઉલ્લેખ થયો છે.
સં૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ ઘરદેરાસરમાં બે આરસપ્રતિમા તથા દસ ધાતુપ્રતિમાનો ઉલ્લેખ છે. સં. ૧૯૦૦ લગભગમાં મૂળચંદ ખુશાલચંદે ઘરદેરાસર બંધાવ્યું હોવાનો ઉલ્લેખ છે. તે સમયે પણ ઘરદેરાસર બીજે માળ હતું અને સ્થિતિ સારી હતી. વહીવટ શેઠ મોતીચંદ તલકચંદ હસ્તક હતો.
સં. ૨૦૫૪માં પ્રગટ થયેલ સુરત તીર્થ વંદુ કર જોડમાં – “સુરત વિશા ઓસવાલ જ્ઞાતિય શેઠ મૂલચંદ અને તેમના ધર્મપત્ની બાઈ શિવકોર મૂલચંદે એકસો વરસ અગાઉ આ ઘરદહેરાસર બનાવેલ. પોતાને કોઈ વારસ ન હોવાથી તલકચંદ મેલાપચંદને અર્પણ કર્યું. હાલ મોતીચંદ તલકચંદ પરિવાર બધું સંભાળે છે.' – તે મુજબની નોંધ છે.
આજે આ ઘરદેરાસરનો વહીવટ શ્રી મોતીચંદ તલકચંદના વંશજો સંભાળે છે. ટૂંકમાં આ ઘરદેરાસર સં૧૯૦૦ લગભગનું છે.
- ઓસવાલ મહોલ્લો, ગોપીપુરા
૬. ચંદ્રપ્રભુસ્વામી (સં. ૧૮૧૦ આસપાસ) ગોપીપુરાના ઓસવાલ મહોલ્લામાં શ્રી મનમોહન પાર્શ્વનાથના જિનાલયની સામે, શ્રી શાંતિનાથના જિનાલય(ઉસ્તાદનું)ની બાજુમાં આરસનું બનેલું શ્રી ચંદ્રપ્રભુસ્વામીનું સામરણયુક્ત જિનાલય આવેલું છે.
- જિનાલયની લંબાઈ વિશેષ છે. ઉપર ધાબાની પાળીની દીવાલે કમળ પર શ્રી લક્ષ્મીદેવી ઉપસાવેલા છે. રંગકામમાં આછા લીલા રંગનો વિશેષ ઉપયોગ થયેલો છે. ઊંબરો ચડી જાળીવાળો ઝાંપો ઓળંગતા શૃંગારચોકી આવે. અહીં સ્થંભો પર કોતરણીયુક્ત કમાનો છે. - પ્રવેશતાં આપણી જમણી બાજુ ગભારો અને ડાબી બાજુ ગૂઢમંડપ છે. તેમાં પ્રવેશવાનું એક દ્વાર છે. બે ગોખ પૈકી એક ગોખમાં શ્રી જિનદત્તસૂરિજીની ગુરુમૂર્તિ તથા અન્ય ગોખમાં શ્રી જિનકુશલસૂરિની ગુરુમૂર્તિ છે જે બન્નેની પ્રતિષ્ઠા સં. ૧૯૮૪માં મહા સુદ ૧૦ને દિવસે નમકોરબહેન રતનચંદ કસ્તુરચંદના સ્મરણાર્થે કરવામાં આવેલ છે. આ બન્ને ગુરુમૂર્તિઓના આગળના ભાગમાં તે-તે મહારાજ સાહેબની પગલાંની જોડ છે જેની પ્રતિષ્ઠા સં૨૦૪પના મહા સુદ ૧૦ને દિને ચંદનબહેન પૂનમચંદ શાહ તરફથી કરવામાં આવેલ છે.
મોટા રંગમંડપમાં મધ્યેની ચોકીની છત પર જાળીવાળી બારીઓની રચના છે. રંગબેરંગી હડીઓ અને ઝુમ્મરોથી તે શોભે છે. અહીં જમણી બાજુ ગોખમાં બિરાજમાન ભૈરવનાથની મૂર્તિની પ્રતિષ્ઠા સં. ૨૦૧૪માં કરવામાં આવી છે. ગર્ભદ્વારની ઉપરની દીવાલે શત્રુંજયનો પટ છે.
ત્રણ ગર્ભદ્વાર છે. ૧૩” ઊંચી મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુસ્વામીની પ્રતિમા પર સં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org