SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ સુરતનાં જિનાલયો મળે ઝુમ્મર રંગમંડપની સુંદરતામાં વધારો કરે છે. અહીં ફરસ કાળા તથા સફેદ – એમ બે રંગના આરસ તથા સુવર્ણ રંગની પિત્તળની પટ્ટીઓના સંયોજન દ્વારા શોભિત છે. ત્રણ ગર્ભદ્વાર છે. ચાંદીની છત્રીમાં બિરાજમાન મૂળનાયક અતિ મનોહર લાગે છે. ૩૩” ઊંચી મૂળનાયક શ્રી અનંતનાથની પ્રતિમા સહિત કુલ નવ આરસપ્રતિમા તથા બાવીસ ધાતુપ્રતિમા છે ઉપરાંત ગૌતમસ્વામીની એક ધાતુમૂર્તિ તથા એક ચૌમુખી નાના છે જેમાં બે રજતપ્રતિમા તથા કસોટીના પથ્થરની બે પ્રતિમા છે. ડાબા તથા જમણા ગભારે શ્રી પાર્શ્વનાથ છે. મૂળનાયક શ્રીની પ્રતિમા પર સં. ૧૬૮૬ના જેઠ વદ ૯ના દિને શાંતિદાસ શેઠના પત્ની કસ્તૂરીદેવીએ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ મ. સા.ના શિષ્ય મહોપાધ્યાય શ્રી વિવેકહર્ષગણિ, ઉપાધ્યાય શ્રી મુક્તિસાગરગણિના વરદહસ્તે અંજનશલાકા થયાનો લેખ છે. આ અંજનશલાકા અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયની પ્રતિષ્ઠા સમયે થયેલી હોવી જોઈએ. ઉપર શિખરમાં ગભારાની રચના છે. તેમાં ૧૩" ઊંચી મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા સહિત કુલ ત્રણ આરસપ્રતિમા રજતછત્રીમાં બિરાજમાન છે. આદેશ્વરને શેરડીના રસથી પારણા, પાર્શ્વનાથ-ધરણેન્દ્ર-પદ્માવતી સહિત મેઘમાળીનો ઉપસર્ગ, ચૌદ સ્વપ્નો, શત્રુંજય પર આવેલ બાબુના દેરાસરનું દશ્ય, ઇન્દ્રનો જન્માભિષેક, પ્રભુને કેવળજ્ઞાન, સમવસરણ, પાર્શ્વનાથનું કાષ્ઠ ચિરાવતું દૃશ્ય, નેમનાથનો વરઘોડો – વિવિધ પ્રસંગો છે.. ઐતિહાસિક સંદર્ભ આ જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૯૬૩માં પ્રગટ થયેલ જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં મળે છે. તે સમયે જૂની અદાલત, નેમુભાઈની વાડીમાં દર્શાવેલું આ શિખરબંધી જિનાલય સં. ૧૯૪૮માં નેમચંદ મેલાપચંદે બંધાવ્યું હતું. કુલ સત્તર આરસપ્રતિમા તથા ચાર ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. ત્યારબાદ સં૧૯૬૮માં પ્રગટ થયેલ તીર્થગાઈડ(ભાગ-૧)માં સુરતનાં જિનાલયોની યાદીમાં આ જિનાલય ઓસવાલ મહોલ્લામાં દર્શાવ્યું છે. સં. ૧૯૮૪માં પ્રગટ થયેલ પોપટલાલ પૂંજાભાઈ પરીખ લિખિત સુરત જૈન ડિરેક્ટરીમાં સુરતમાં વિદ્યમાન જિનાલયોની યાદીમાં ઉપર્યુક્ત જિનાલય નેમુભાઈની વાડીમાં દર્શાવ્યું હતું અને બંધાવનાર તરીકે શેઠ નેમચંદ મેલાપચંદનો ઉલ્લેખ હતો. સં. ૧૯૮૯માં પ્રગટ થયેલ સુરત ચૈત્યપરિપાટીમાં આ જિનાલય સં. ૧૯૪૭માં જેઠ સુદ છઠને શુક્રવારે શેઠ નેમચંદ મેલાપચંદે બંધાવ્યું હોવાની નોંધ છે. ઉપરાંત “જિનાલય ભવ્ય અને રળિયામણું છે. વાસુપૂજ્ય સ્વામીના જિનાલયથી દ્વિતીય સ્થાને આ જિનાલય ગણાય છે’ – તેવી નોંધ છે. ઉપર્યુક્ત ગ્રંથના સંચયકાર શ્રી કેશરીચંદ હીરાચંદ ઝવેરીએ સં. ૧૯૯૬માં પ્રગટ થયેલ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy