SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ ૨ સુરતનાં જિનાલયો નંદીગામ, તાલુકો - ઉમરગામ ૫૮. શ્રી સીમંધરસ્વામી (સં. ૨૦૪૨) શ્રી ભીડભંજન લીંબુ પાર્શ્વનાથ (સં. ૨૦૪૫) વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાથી ૨૦ કિ. મી.ના અંતરે, ભિલાડ સ્ટેશનથી ૪ કિ. મી. નેશનલ હાઈવે નં. ૮, મુંબઈ અમદાવાદ જવાના રસ્તે નંદીગામ આવેલું છે. જૈનોની વસ્તી નથી. ગામમાં ઓશિયાજી નગરમાં એક જ કંપાઉંડમાં બે શિખરબંધી, ભવ્ય જિનાલયો આવેલાં છે. પાસે જ શ્રાવક-શ્રાવિકાના ઉપાશ્રય, સ્વાધ્યાય મંદિર હોલ, યાત્રિક ભુવન, ભોજનશાળા ઑફિસ તથા ધર્મશાળા છે. સીમંધરસ્વામી શ્રી સીમંધરસ્વામીના જિનાલયની પ્રતિષ્ઠા સં. ૨૦૪રમાં વૈશાખ સુદ છઠને દિને આ શ્રી કૈલાસસાગરસૂરિ મ. સા.ના શિષ્ય શ્રી કલ્યાણસાગરસૂરિ મ. સાની નિશ્રામાં થયેલ છે. સીમંધરસ્વામીના જિનાલયની પાસે માણિભદ્રવીર, ઓશિયાજી માતા, પંચાગુલી માતા તથા ચંડાણપક્ષની દેરી છે. ૮૧" ઊંચી મૂળનાયક શ્રી સીમંધરસ્વામીની ભવ્ય પ્રતિમા મહેસાણાના શ્રી સીમંધરસ્વામીના જિનાલયનું સ્મરણ કરાવે છે. કુલ નવ આરસપ્રતિમા તથા આઠ ધાતુપ્રતિમા છે. ગૌતમસ્વામીની આરસની પાદુકા છે. યક્ષ-યક્ષિણીની આરસમૂર્તિઓ છે ભીડભંજન લીંબુ પાર્શ્વનાથ આ જિનાલય વિશે નીચે મુજબની માહિતી મળે છે : ૨૧૬ વર્ષ સુધી મારવાડના ફાલનાથી ૬૩ કિ. મી. દૂર વાગોલ કોટનગરમાં બાવન જિનાલય પ્રતિષ્ઠિત થયેલા પરંતુ સં૧૮૨૭માં ભુકંપ થવાથી આ જિનાલય ભુગ્રસ્ત થયું અને આ પ્રતિમા અદૃશ્ય થઈ ગયા. ત્યારબાદ ૮૦૦ કિ. મી. દૂર સુરતમાં નાણાવટના શેઠ શ્રી નહાનચંદ પાનાચંદને સ્વપ્ન આપીને લીંબુના ટોપલામાં પ્રગટ થયા. આ પ્રતિમા ૧૧”ની શ્યામ આરસની છે. હાલ તે જગ્યા સુરતમાં (ઘર નંબર ૧૧/૧૩૫૭) હાલ પણ છે ત્યાં થાંભલાવાળા દેરાસરમાં કાષ્ઠના ગૃહચૈત્યમાં બીજા ૨૧૬ વર્ષ સુધી પૂજાતા રહ્યા ત્યારબાદ સં. ૨૦૪૩ના ચૈત્ર સુદ ૧૩ને રવિવારે તા. ૧૨-૪-૮૭ના રોજ આ પ્રતિમાજી નંદીગ્રામમાં અર્પણ કરેલા છે. પ્રતિષ્ઠા સં. ૨૦૪૫ વૈશાખ સુદ છઠને દિને આ. શ્રી કલ્યાણસાગરસૂરિ મ. સા.ની નિશ્રામાં શ્રી ધનરાજભાઈ ગણેશમલજી ગુગળિયા પરિવાર દ્વારા થયેલ છે. રાજપૂતાના કોટનગરે વિ. સં. ૧૬૧૧ વર્ષ વૈસુ. ને ગુરુવારે ગુરુપુષ્પ અમૃત સિદ્ધિયોગે શુભમુહૂર્ત અંજનશલાકાવિધિથી પ્રતિષ્ઠિત થયેલ આ ભીડભંજન પાર્શ્વનાથજી વિ. સં. ૨૦૪૫ વૈ શુદ ૬ ગુરુવારે પૂ. આ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ. સા. આદિની ઉપસ્થિતિમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy