SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો ૩૧૧ હાલ જિનાલયના જીર્ણોદ્ધારનું કાર્ય ચાલે છે. પ્રવેશદ્વાર કોઇની કોતરણીયુક્ત છે જેમાં ચૌદ સ્વપ્નોનું સુંદર કોતરકામ છે. રંગમંડપમાં સ્થંભો પર વિવિધ મુદ્રામાં વાજિંત્ર સહિત નારીશિલ્પો છે. શત્રુંજયનો પટ છે. પદ્માવતીદેવી તથા ચક્રેશ્વરીદેવીની આરસમૂર્તિઓના ગોખ છે. તે પૈકી ચક્રેશ્વરીદેવીની મૂર્તિ પર સં. ૧૮૬૭નો લેખ છે. તે લેખ નીચે મુજબ છે : સંવત ૧૮૬૭ વર્ષ વૈસાખ સુદિ ૧૩ સોમવાર શ્રી દમણબંદિરે સંઘ સકલ સુખકારિ શ્રી ચક્રેશ્વરી દેવી સ્થાપિત શ્રી વિજય જિનેન્દ્રસૂરિ રાજયે, શ્રી તપાગચ્છે ” ત્રણ ગર્ભદ્વાર છે. ૧૭” ઊંચી મૂળનાયક શ્રી આદેશ્વરની પ્રતિમા છે. ડાબા ગભારે આદેશ્વર તથા જમણા ગભારે વાસુપૂજયસ્વામી છે. કુલ ઓગણીસ આરસપ્રતિમા તથા છવ્વીસ ધાતુપ્રતિમા છે. ઐતિહાસિક સંદર્ભ શ્રી પૂષ્પમ્ મિત્ર મંડળ-દમણ દ્વારા શ્રી પુષ્પમ્ કચ્છ ભદ્રેશ્વર યાત્રા સંઘ સ્મૃતિ નામની પુસ્તિકા પ્રકાશિત થયેલ છે. તેમાં આ જિનાલય વિશે નોંધ મળે છે. ‘દમણમાં આજે બિરાજમાન આદેશ્વરની પ્રતિમા પર અંજનશલાકા સં. ૧૮૬૦ના વૈશાખ વદ પાંચમના રોજ દમણમાં થયેલી છે – એ મુજબનો લેખ છે. દમણ ઘણાં પ્રાચીન સમયથી જૈનોની વસતીથી ધબકતું શહેર હતું. ... આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયો હતો અને પુનઃ પ્રતિષ્ઠા સં. ૧૯૬૪ના વૈશાખ સુદ દશમના રોજ કરવામાં આવી હતી.' સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં દમણરોડ પર શ્રાવકના મહોલ્લામાં શ્રી આદેશ્વરના ધાબાબંધી જિનાલયનો ઉલ્લેખ થયો છે. કુલ સત્તર આરસપ્રતિમા, સાડત્રીસ ધાતુપ્રતિમા તથા પગલાંની એક જોડ હતી. સં. ૧૮૫૫માં શેઠ હીરાચંદ રાયકરણે જિનાલય બંધાવ્યું હતું. જિનાલયની સ્થિતિ સારી હતી. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં દમણમાં વાણિયાવાડમાં આદેશ્વરના ધાબાબંધી જિનાલયનો ઉલ્લેખ થયો છે. કુલ સત્તર આરસપ્રતિમા તથા ત્રીસ ધાતુપ્રતિમા હતી. સં. ૧૮૬૦માં જિનાલય બંધાયું હતું. વહીવટ શેઠ કેસરીચંદ મોતીચંદ હસ્તક હતો. પ્રતિમા પર સંત ૧૮૬૦નો લેખ હતો. જિનાલયની સ્થિતિ સારી હતી. ગામમાં ૧૫૦ જૈન કુટુંબો રહેતાં હતાં. એક ઉપાશ્રય, એક ધર્મશાળા તથા એક લાઇબ્રેરી હતી. વૈશાખ સુદ ત્રીજની વર્ષગાંઠના દિવસે જમણવાર થાય છે તથા ધજાનો ચડાવો બોલાય છે. શ્રી દમણ શ્વે, મું. પૂ. જૈન સંઘના ટ્રસ્ટીઓ – શ્રી કેસરીચંદ મોતીચંદ શાહ તથા શ્રી કેસરીચંદ ચુનીલાલ શાહ વહીવટ કરે છે. ટૂંકમાં જિનાલયનો સમય સં૧૮૬૦નો છે. વધુ પ્રાચીનતા નક્કી કરવા માટે વિશેષ સંશોધનની જરૂર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy