________________
૩૧૦
સુરતનાં જિનાલયો જૈન શ્વે, મૂક સંઘના ટ્રસ્ટીઓ – શ્રી રતીલાલ ભીમાજી શાહ, શ્રી દલીચંદ ફકીરચંદ શાહ તથા શ્રી પ્રકાશભાઈ મગનલાલ શાહ હસ્તક છે.
હાલ આ શિખરબંધી જિનાલયમાં મૂળનાયક સંભવનાથ છે. અહીં વાસુપૂજયસ્વામીની ધાતુપ્રતિમા છે. સં. ૧૯૯૮માં ઘરદેરાસર હતું. તે સમયે પણ વાસુપૂજ્ય સ્વામીની ધાતુપ્રતિમાનો ઉલ્લેખ મળે છે. સંભવ છે કે એ ઘરદેરાસરની વાસુપૂજયસ્વામીની ધાતુપ્રતિમા નવા શિખરબંધી જિનાલયમાં પધરાવવામાં આવી હશે. સં૨૦૩૭માં શિખરબંધી જિનાલય બંધાવવામાં આવ્યું છે.
ગામ - ડુંગરી, તાલુકો - વલસાડ ૫૬. શ્રી શાંતિનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૨૩ આસપાસ) વલસાડ તાલુકાથી ૧૦ કિ. મી.ના અંતરે, બીલીમોરાથી વલસાડ જતા વચ્ચે ડુંગરી ગામ આવેલું છે. અહીં રેલવે સ્ટેશન છે. ગામમાં બજારમાં શ્રી શાંતિનાથનું છાપરાબંધી ઘરદેરાસર આવેલું છે. અહીં ૬ જૈન કુટુંબો વસે છે. નેશનલ હાઈવે નં. ૮ પર ડુંગરી પાસે અચલગચ્છ જૈન ઉપાશ્રય - મણિકલ્યાણ જૈન આરાધના ભવન છે.
ઉપર ઘરદેરાસર, બાજુમાં સ્વાધ્યાય હોલ તથા નીચે ઉપાશ્રય છે. ૩” ઊંચી મૂળનાયક શ્રી શાંતિનાથ તથા શ્રી પાર્શ્વનાથ સહિત કુલ બે ધાતુપ્રતિમા છે. સં. ૨૦૫૧માં મહા સુદ પાંચમના રોજ આઠ શ્રી મહાબલસૂરિ મ. સા.ની પ્રેરણાથી ઉપાશ્રયનો જીર્ણોદ્ધાર થયો છે.
સ્થાનિક માહિતી પ્રમાણે સં. ૨૦૨૭ આસપાસ ઘરદેરાસરની સ્થાપના થયેલ છે. વહીવટ શ્રી મનુભાઈ નાથુભાઈ શાહ તથા શ્રી જયકુમાર રતિલાલ શાહ હસ્તક છે. આ ઘરદેરાસરનો સમય સં. ૨૦૨૭ આસપાસનો છે.
નાની દમણ
૫૭. શ્રી આદેશ્વર (સં. ૧૮૬૦) વાપીથી ૧૦ કિ. મી.ના અંતરે દમણ ગામ છે. જૈનોની વસ્તી ઓછી છે. ૨૦ જૈન કુટુંબો હાલ અહીં વસે છે. મોટા ભાગના જૈન કુટુંબો ધંધાર્થે વાપી, વલસાડ, મુંબઈ સ્થિત થયા છે. જૈન સ્ટ્રીટમાં શ્રાવક-શ્રાવિકાનો ઉપાશ્રય છે. જ્ઞાનભંડાર છે. ધર્મશાળાના બાંધકામનું કાર્ય ચાલે છે. ગામમાં આરસનું બનેલું શ્રી આદેશ્વરનું શિખરબંધી જિનાલય આવેલું છે.
જિનાલય પાસે માણિભદ્રવીરની દેરી છે. તે મૂર્તિ પર સં. ૧૮૬૭નો લેખ છે. રાયણવૃક્ષ પાસે ઋષભદેવનાં પગલાં છે જેના પર સં. ૧૯૦૧નો લેખ છે. તેની બાજુમાં ધર્મચંદ્રવિજયજીના પગલાં છે જેના પર સં. ૧૯૦૬નો લેખ છે. તે દાદાસાહેબના પગલાં તરીકે ઓળખાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org