SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો ૩૦૯ ૨૦૩૪માં જેઠ સુદ અગિયારશને દિને આ. શ્રી પદ્મસાગરસૂરિ મ. સા.ની નિશ્રામાં શ્રી ચંદ્રકાન્તભાઈ બાબુભાઈ શાહ પરિવાર દ્વારા થયેલ છે. ૧૫” ઊંચી મૂળનાયક શ્રી વાસુપૂજ્યસ્વામીની પ્રતિમા રાણકપુર ભંડારમાંથી લાવેલ છે. ડાબી બાજુ પાર્શ્વનાથ તથા જમણી બાજુ આદેશ્વર બિરાજમાન છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા છે. પ્રચંડાદેવી તથા કુમારપક્ષની આરસમૂર્તિઓ છે. જેઠ સુદ અગિયારશને વર્ષગાંઠને દિને જમણવાર થાય છે તથા શ્રી સિદ્ધાર્થભાઈ કસ્તુરભાઈ લાલભાઈ ટ્રસ્ટ દ્વારા કાયમી ધજા ચડે છે. વહીવટ આજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ – શ્રી વિમળાબહેન સિદ્ધાર્થભાઈ શાહ, શ્રી નરોત્તમદાસ મયાભાઈ શાહ, શ્રી અશ્વિનભાઈ સુરેશચંદ્ર શાહ, શ્રી હિતેન્દ્રભાઈ નરોત્તમદાસ શાહ તથા શ્રી વિનેશભાઈ સેવંતીલાલ શાહ હસ્તક છે. ગામ - વાઘલધરા, તાલુકો - વલસાડ ૫૫. શ્રી સંભવનાથ (સં. ૨૦૩૭) વલસાડ તાલુકામાં ડુંગરી રેલવે સ્ટેશનથી ૬ કિ. મી.ના અંતરે નેશનલ હાઇવે નં. ૮ ઉપર વાઘલધરા ગામ આવેલું છે. અહીં ૭ જૈન કુટુંબો વસે છે. ગામમાં જ શ્રી સંભવનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે. જિનાલયની પાછળ ઉપાશ્રય છે. સાધુ-સાધ્વીજી વિહારમાં લાભ લે છે. સ્થાનિક માહિતી પ્રમાણે પૂર્વે અહીં ઘરદેરાસર હતું. ત્યારબાદ શિખરબંધી જિનાલયનું નિર્માણ થયું. પ્રતિષ્ઠા સં. ૨૦૩૭ મહા સુદ તેરશને તા. ૧૬-૨-૮૧ને સોમવારના રોજ આ શ્રી મુક્તિચંદ્રસૂરિ મ. સા.ની નિશ્રામાં કરવામાં આવી. પ્રતિષ્ઠાનો લાભ મુંબઈનિવાસી શ્રી ઠાકોરલાલ ઝવેરચંદ શાહ પરિવારે લીધો. - ૨૧” ઊંચી મૂળનાયક શ્રી સંભવનાથની ડાબી બાજુ મુનિસુવ્રતસ્વામી તથા જમણી બાજુ આદેશ્વરની આરસપ્રતિમા મળીને કુલ ત્રણ આરસપ્રતિમા છે. દરેક પ્રતિમા પર સં. ૨૦૩૭નો લેખ છે. વાસુપૂજયસ્વામી અને શાંતિનાથ– એમ બે ધાતુપ્રતિમા છે. શત્રુંજયનો પટ છે. યક્ષયક્ષિણીની આરસમૂર્તિઓ છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ડુંગરીથી ૫ માઈલ દૂર. વાઘલધરા ગામમાં શેઠ ગાંડાભાઈ ગોવિંદજીના મકાનમાં શ્રી વાસુપૂજ્યસ્વામીનું ઘરદેરાસર હોવાની નોંધ છે. એક ધાતુપ્રતિમા હતી. સં. ૧૯૯૮માં શ્રી સંઘે ઘરદેરાસર બંધાવ્યું હતું. વહીવટ શેઠ ગાંડાભાઈ ગોવિંદભાઈ હસ્તક હતો તથા સ્થિતિ સારી હતી. ગામમાં ૩૦ જૈન કુટુંબો વસતાં હતાં. મહા વદ તેરશના દિને ગામના જૈન કુટુંબો દ્વારા વારાફરતી ધજા ચડે છે. વહીવટ શ્રી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy