________________
સુરતનાં જિનાલયો
૩૦૩
પ્રતિષ્ઠા સં. ૨૦૪૫ આસપાસ વૈશાખ સુદ ત્રીજના રોજ થયેલ છે. ૭” ઊંચી મૂળનાયક શ્રી શીતલનાથની એક ધાતુપ્રતિમા છે.
ગામ - વાપી, તાલુકો - પારડી
૪૪. શ્રી સંભવનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૫૧) વાપી દમણ રોડ પર ચંદ્રનગરીમાં શ્રી વસંતલાલ સરદારમલજી શાહ પરિવારનું શ્રી સંભવનાથનું ઘરદેરાસર આવેલું છે.
પ્રતિષ્ઠા સં. ૨૦૫૧માં વૈશાખ સુદ તેરશના રોજ શ્રી નંદીભૂષણવિજયજી મ. સા.ની નિશ્રામાં થયેલ છે. ૧૫” ઊંચી મૂળનાયક શ્રી સંભવનાથની એક ધાતુપ્રતિમા આરસના આસન પર બિરાજમાન છે.
. ગામ - વાપી, તાલુકો - પારડી
૪૫. શ્રી વાસુપૂજ્ય સ્વામી (ઘરદેરાસર) (સં. ૨૦૧૩) ચલા દમણ રોડ પર રોયલ ટવીન્સ કો. ઓ. સોસાયટીમાં શ્રી દિલીપભાઈ ડી. શાહ તથા શ્રી ઉજ્જવલભાઈ કાકરિયા પરિવારનું શ્રી વાસુપૂજયસ્વામીનું ઘરદેરાસર આવેલું છે.
પ્રતિષ્ઠા સં. ૨૦૧૩માં જેઠ સુદ બારશના રોજ થયેલ છે. ૧૭” ઊંચી મૂળનાયક શ્રી વાસુપૂજયસ્વામીની આરસપ્રતિમા છે. કુલ પાંચ આરસપ્રતિમા તથા એક ધાતુપ્રતિમા છે. સ્થાનિક માહિતી પ્રમાણે પ્રતિમા મારવાડથી લાવેલ છે.
ગામ - વાપી, તાલુકો - પારડી
૪૬. શ્રી પાર્શ્વનાથ (સં. ૨૦૨૭) વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ચલા દમણ રોડ પર અજિતનગરમાં સાદા પથ્થર તથા આરસનું બનેલું શ્રી પાર્શ્વનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે. શ્રાવક-શ્રાવિકાનો ઉપાશ્રય છે. ગુલાબચંદ મૂળચંદ પરિવાર અતિથિગૃહ છે જેનો આયંબિલશાળા તરીકે ઉપયોગ થાય છે. પાઠશાળામાં ૭૦ બાળકો ધાર્મિક અભ્યાસ કરે છે.
જિનાલયની પ્રતિષ્ઠા સં. ૨૦૧૭માં જેઠ સુદ ત્રીજને દિને આ. શ્રી રામચંદ્રસૂરિ મ. સા.ની નિશ્રામાં શ્રી ગુલાબચંદ મૂળચંદ પરિવાર દ્વારા થયેલ છે.
૨૫” ઊંચી મૂળનાયક શ્રી પાર્શ્વનાથની પ્રતિમાની ડાબી બાજુ નેમિનાથ તથા જમણી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org