________________
૩૦૪
સુરતનાં જિનાલયો બાજુ મહાવીરસ્વામી બિરાજે છે. કુલ છ આરસપ્રતિમા તથા આઠ ધાતુપ્રતિમા છે.'
ઉપર શિખરમાં ૨૧” ઊંચી મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની એક આરસપ્રતિમા છે.
જેઠ સુદ ત્રીજની વર્ષગાંઠના દિને જમણવાર થાય છે અને ગુલાબચંદ મૂળચંદ પરિવાર દ્વારા કાયમી ધજા ચડે છે. જિનાલયમાં કુલ સાત આરસપ્રતિમા છે. વહીવટ શ્રી અજિતનગર જૈન શ્વે, મૂક સંઘના ટ્રસ્ટીઓ – શ્રી ઈન્દ્રવદનભાઈ ગુલાબચંદ શાહ, શ્રી પ્રવીણભાઈ ગુલાબચંદ શાહ, શ્રી રાજેન્દ્રભાઈ ગુલાબચંદ શાહ તથા શ્રી ધનસુખભાઈ ઇન્દ્રવદનભાઈ શાહ હસ્તક છે.
ગામ - વાપી, તાલુકો - પારડી
૪૭. શ્રી શાંતિનાથ (સં. ૨૦૫૧) વાપી, શાંતિનગરમાં શાંતિનાથ સોસાયટી મધ્ય આરસનું બનેલું શ્રી શાંતિનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે. આ વિસ્તારમાં કુસુમ અમૃત આરાધના ભવન – શ્રાવકનો ઉપાશ્રય તથા અક્ષયનિધિ રત્નત્રયી ધામ – શ્રાવિકાનો ઉપાશ્રય છે. આયંબિલશાળા છે.
- શ્રી શાંતિનાથના જિનાલયની પ્રતિષ્ઠા સં૨૦૫૧માં ફાગણ સુદ દશમના રોજ આ. શ્રી જિનેન્દ્રસૂરિ મ. સા. તથા શ્રી નયવર્ધનવિજયજી મ. સા.ની નિશ્રામાં શ્રી અમૃતલાલ કસ્તુરચંદ નહાર પરિવાર દ્વારા થયેલ છે.
અહીં ગુરુમંદિર છે જેમાં આ. શ્રી રામચંદ્રસૂરિ મ. સા.ની આસ્સની ગુરુમૂર્તિ છે.
૪૧” ઊંચી મૂળનાયક શ્રી શાંતિનાથની પ્રતિમા પર સં૨૦૫૧નો લેખ છે. કુલ પાંચ આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા છે. ડાબી બાજુ મુનિસુવ્રતસ્વામી તથા જમણી બાજુ વિમલનાથ બિરાજમાન છે. શત્રુંજયનો પટ છે.
ફાગણ સુદ દશમની વર્ષગાંઠના દિને જમણવાર થાય છે તથા ધજાનો ચડાવો બોલાય છે. વહીવટ શ્રી કુસુમ અમૃત ટ્રસ્ટના ટ્રસ્ટીઓ – શ્રી અમૃતભાઈ કસ્તુરચંદ શાહ, શ્રી રોહિતકુમાર અમૃતલાલ શાહ, શ્રી હરીશભાઈ અમૃતલાલ શાહ, શ્રી જયંતિલાલ ગુલાબચંદ શાહ તથા શ્રી ચીમનલાલ કસ્તુરચંદ શાહ હસ્તક છે.
ગામ - વલસાડ, તાલુકો - વલસાડ વલસાડમાં હાલ કુલ ત્રણ જિનાલય તથા બે ઘરદેરાસર છે. આશરે ૬૦૦ જૈન કુટુંબો વસે છે. રામવાડી, શ્વેતાંબર સોસાયટી, મોટા બજાર તથા નૂતન સોસાયટીમાં ઉપાશ્રય છે. શ્રી ઘોઘારી જૈન સંઘ દ્વારા મહાવીર સોસાયટી, નૂતન સોસાયટી તથા એમ. જી. રોડ પર પાઠશાળા ચાલે છે. આયંબિલશાળા, ભોજનશાળા તથા ધર્મશાળા છે. શ્રી યશોભદ્રસૂરિ જ્ઞાનભંડાર છે. મોટા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org