________________
સુરતનાં જિનાલયો
૩૦૧
પ્રતિષ્ઠા સં. ૨૦૧૦માં વૈશાખ વદ છઠના દિને આ. શ્રી રામચંદ્રસૂરિ મ. સા.ની નિશ્રામાં થયેલ છે. ૫” ઊંચી મૂળનાયક શ્રી કુંથુનાથની એક ધાતુપ્રતિમા છે.
ગામ - વાપી, તાલુકો - પારડી ૩૭. શ્રી શાંતિનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૧૦ આસપાસ) વાપી, બજાર રોડ પર મંજુલાબહેન જયંતિલાલ લક્ષ્મીચંદ ભગાજી પરિવારનું શ્રી શાંતિનાથનું ઘરદેરાસર આવેલું છે.
પ્રતિષ્ઠા સં૨૦૧૦ આસપાસમાં શ્રાવણ સુદ છઠના દિને આ. શ્રી રામચંદ્રસૂરિ મ. સા.ની નિશ્રામાં થયેલ છે. પ” ઊંચી મૂળનાયક શ્રી શાંતિનાથની એક ધાતુપ્રતિમા છે.
ગામ - વાપી, તાલુકો - પારડી
૩૮. શ્રી આદેશ્વર (ઘરદેરાસર) (સં. ૨૦૪૮ આસપાસ) | વાપી, બજાર રોડ પર શ્રી અરવિંદકુમાર રાજમલ શાહ પરિવારનું શ્રી આદેશ્વરનું ઘરદેરાસર આવેલું છે.
પ્રતિષ્ઠા સં૨૦૪૮ આસપાસ અષાડ સુદ પાંચમના દિને શ્રી શ્રેયાંસપ્રભવિજયજી મ. સા.ની નિશ્રામાં થયેલ છે. ૭” ઊંચી મૂળનાયક શ્રી આદેશ્વરની ધાતુપ્રતિમા તથા ૩” ઊંચી શ્રી સંભવનાથની ધાતુપ્રતિમા મળીને કુલ બે ધાતુપ્રતિમા છે.
ગામ - વાપી, તાલુકો - પારડી
૩૯. શ્રી આદેશ્વર (ઘર દેરાસર) (સં. ૨૦૩૮) વાપી. ઝંડાચોકમાં શ્રી શાંતિલાલ રામસુખજી દાદરાવાલા પરિવારનું શ્રી આદેશ્વરનું ઘરદેરાસર આવેલું છે.
ઘરદેરાસરમાં દીવાલો પર પદ્માવતી, માણિભદ્રવીર, સિદ્ધચક્ર, ચક્રેશ્વરીદેવી, શત્રુંજય, પાવાપુરી, અષ્ટાપદ, ગિરનાર, આબુ તથા સમેતશિખરના પટનું ચિત્રકામ છે.
પ્રતિષ્ઠા સં૨૦૩૮માં વૈશાખ સુદ છઠના રોજ આઠ શ્રી કનકસૂરિની નિશ્રામાં થયેલ છે. કુલ ત્રણ ધાતુપ્રતિમા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org