SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૩00 સુરતનાં જિનાલયો ગામ - વાપી તાલુકો - પારડી ૩૩. શ્રી વાસુપૂજ્ય સ્વામી (ઘરદેરાસર) (સં. ૨૦૩૭) વાપી, નહેરુ સ્ટ્રીટમાં ચંપાપુરીમાં શ્રી પ્રકાશભાઈ અમૃતલાલ શાહ પરિવારનું શ્રી વાસુપૂજયસ્વામીનું ઘરદેરાસર આવેલું છે. ૫” ઊંચી મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની એક ધાતુપ્રતિમા છે. અંજનશલાકા તથા સ્થાપના સં૨૦૩૭માં વૈશાખ સુદ છઠને દિને આ શ્રી રવિચંદ્રસૂરિ મ. સા.ની નિશ્રામાં થઈ હતી. ત્યારબાદ મકાન બદલતાં સં. ૨૦૫૧માં માગશર સુદ ૧૦ને દિને શ્રી જયદર્શન મ. સા.ની નિશ્રામાં પુનઃ પ્રતિષ્ઠા થયેલ છે. ગામ - વાપી, તાલુકો - પારડી ૩૪. શ્રી પાર્શ્વનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૧૩) વાપી, નાહર બજારમાં શ્રી જયંતિલાલ ગુલાબચંદ શાહ પરિવારનું શ્રી પાર્શ્વનાથનું ઘરદેરાસર આવેલું છે. પ્રતિષ્ઠા સં. ૨૦૧૩માં ફાગણ વદ છઠના દિને શ્રી નયવર્ધનવિજયજી મ. સા.ની નિશ્રામાં થયેલ છે. ૯” ઊંચી મૂળનાયક શ્રી પાર્શ્વનાથની એક ધાતુપ્રતિમા છે. ગામ - વાપી, તાલુકો - પારડી ૩૫. શ્રી પાર્શ્વનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૪૦ આસપાસ) વાપી, સ્ટેશન રોડ પર નાહર બજારમાં શ્રી ચંદ્રકાન્ત કેવળચંદ શાહ પરિવારનું શ્રી પાર્શ્વનાથનું ઘરદેરાસર આવેલું છે. અંજનશલાકા સં. ૨૦૪૦ આસપાસ અષાડ સુદ બીજના દિને આ. શ્રી રામચંદ્રસૂરિ મ. સા.ની નિશ્રામાં થયેલ છે. ૭” ઊંચી મૂળનાયક શ્રી પાર્શ્વનાથની ધાતુપ્રતિમા તથા ૯” ઊંચી શ્રી નમિનાથની ધાતુપ્રતિમા મળીને કુલ બે ધાતુપ્રતિમા છે. ગામ - વાપી, તાલુકો - પારડી ૩૬. શ્રી કુંથુનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૧૦) વાપી, બજાર રોડ, નાહર બિલ્ડિંગમાં શ્રી મોહનલાલ કેસરીચંદ નહાર પરિવારનું શ્રી કુંથુનાથનું ઘરદેરાસર આવેલું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy