SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો ૨૯૯ ફાગણ સુદ બીજની વર્ષગાંઠના દિવસે જમણવાર થાય છે અને ધજાનો ચડાવો બોલાય છે. વહીવટ શ્રી વાપી સકલ જૈન સમસ્ત સંઘના ટ્રસ્ટીઓ – શ્રી રજનીકાન્ત હીરાચંદ શાહ, શ્રી જયંતિલાલ ગુલાબચંદ શાહ, શ્રી મુકુંદકુમાર મોહનલાલ શાહ, શ્રી બળવંતરાય છગનલાલ શાહ તથા શ્રી હસ્તીમલ કૃષ્ણાજી હસ્તક છે. ટૂંકમાં આ જિનાલયનો સમય સં. ૧૯૯૧નો છે. ગામ - વાપી, તાલુકો - પારડી ૩૦. શ્રી મહાવીરસ્વામી (ઘરદેરાસર) (સં. ૨૦૩૮) વાપી, નહેરુ સ્ટ્રીટમાં અજિતનાથના જિનાલયની સામે શ્રી જયંતિલાલ કેસરીચંદ શાહ પરિવારનું શ્રી મહાવીરસ્વામીનું ઘરદેરાસર આવેલું છે. પ્રતિષ્ઠા સં. ૨૦૩૮માં ચૈત્ર સુદ તેરશના દિને આ. શ્રી રામચંદ્રસૂરિ મ. સા.ની નિશ્રામાં થયેલ છે. પ” ઊંચી મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા સહિત કુલ બે ધાતુપ્રતિમા છે. ગામ - વાપી, તાલુકો - પારડી ૩૧. શ્રી મુનિસુવ્રતસ્વામી (ઘરદેરાસર) (સં. ૨૦૧૩) વાપી, નહેરુ સ્ટ્રીટમાં શ્રી ઓજસકુમાર છોટાલાલ શાહ પરિવારનું શ્રી મુનિસુવ્રતસ્વામીનું ઘરદેરાસર આવેલું છે. પ્રતિષ્ઠા સં. ૨૦૧૩માં જેઠ વદ નોમને દિને પૂ. શ્રી નયવર્ધનવિજય મ. સા.ની નિશ્રામાં થયેલ છે. ૫” ઊંચી મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની એક ધાતુપ્રતિમા છે તથા આ. શ્રી રામચંદ્રસૂરિ મ. સા. તથા ગૌતમસ્વામીની આરસમૂર્તિઓ છે. ગામ - વાપી, તાલુકો - પારડી ૩૨. શ્રી મહાવીર સ્વામી (ઘરદેરાસર) (સં. ૨૦૩૫) વાપી, નહેરુ સ્ટ્રીટમાં બંગલા નં. ૧૦, કોટેશ્વર સદનમાં શ્રી હિંમતભાઈ પરમાણંદદાસ શાહ પરિવારનું શ્રી મહાવીર સ્વામીનું ઘરદેરાસર આવેલું છે. પ્રતિષ્ઠા સં. ૨૦૩૫માં ચૈત્ર સુદ એકમના દિને થયેલ છે. ૩” ઊંચી મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની એક ધાતુપ્રતિમા છે. પ્રતિમા પ્રાચીન છે. સ્થાનિક માહિતી પ્રમાણે મુંબઈમાં ખાડીમાં કામ કરતા આ પ્રતિમા પ્રાપ્ત થયા હતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy