SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ સુરતનાં જિનાલયો ૨૩” ઊંચી મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા પર સં. ૨૦૫૩નો લેખ છે. ડાબી બાજુ વાસુપૂજયસ્વામી તથા જમણી બાજુ શાંતિનાથ બિરાજે છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા એક ધાતુપ્રતિમા છે. શત્રુંજયનો પટ છે. મહા સુદ તેરશની વર્ષગાંઠના દિવસે જમણવાર થાય છે તથા ધજાનો ચડાવો બોલાય છે. વહીવટ શ્રી શ્વે મૂ પૂ. જૈન સંઘ-ચણોદ કૉલોનીના ટ્રસ્ટી – શ્રી હીરજી તેજસી શાહ હસ્તક છે. ગામ - વાપી, તાલુકો - પારડી ૨૯. શ્રી અજિતનાથ (સં. ૧૯૯૧) વલસાડ જિલ્લાના પારડી તાલુકાના વાપી શહેર મધ્યે નહેરુ સ્ટ્રીટમાં આરસનું બનેલું શ્રી અજિતનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે. શિખરમાં શ્રી સુપાર્શ્વનાથની આરસપ્રતિમા છે. નહેરુ સ્ટ્રીટમાં શ્રાવક-શ્રાવિકાનો ઉપાશ્રય, આયંબિલશાળા તથા શ્રી લબ્ધિસૂરિ જ્ઞાનભંડાર છે. જિનાલયની પ્રતિષ્ઠા સં ૧૯૯૧માં ફાગણ સુદ બીજને દિને આ શ્રી નીતિસૂરિ મ સાની નિશ્રામાં થયેલ છે. જીર્ણોદ્ધાર થયેલ છે. કંપાઉંડમાં ઑફિસની બાજુમાં એક દેવકુલિકામાં પાર્શ્વનાથ, પાર્શ્વનાથ, શાંતિનાથ તથા પાર્શ્વનાથ એમ ચૌમુખજીની આરસપ્રતિમા છે. દરેક પ્રતિમા ૧૫” ઊંચી છે. અન્ય ત્રણ દેવકુલિકામાં પદ્માવતીદેવી, માણિભદ્રવીર તથા શ્રી રત્નવિજયજી મ૰ સાદ આરસની પાદુકા છે. જિનાલયના રંગમંડપમાં આબુ, શત્રુંજય, અષ્ટાપદ, ગિરનાર, સમેતશિખર, ભરતરાજાને અરીસાભવનમાં કેવળજ્ઞાન, મહાવીરપ્રભુની દેશના, નેમનાથ પ્રભુની જાન, ગોશાળા, ચંડકૌશીક નાગનો પ્રસંગ, અજિતનાથના ભવ, પાર્શ્વનાથના ૨૭ ભવ જેવા પટ-પ્રસંગોનું ચિત્રકામ છે. ૧૭” ઊંચી મૂળનાયક શ્રી અજિતનાથની પ્રતિમાની ડાબી બાજુ અનંતનાથ તથા જમણી બાજુ કુંથુનાથ મળીને કુલ ત્રણ આરસપ્રતિમા તથા વીસ ધાતુપ્રતિમા છે. ઉપર શિખરમાં ૨૫” ઊંચી મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથની એક આરસપ્રતિમા છે જેના પ૨ સં. ૧૮૭૭નો લેખ છે. ઐતિહાસિક સંદર્ભ સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં વાપી દમણ રોડ બજારમાં અજિતનાથના શિખરબંધી જિનાલયનો ઉલ્લેખ થયો છે. કુલ ચાર આરસપ્રતિમા, બાર ધાતુપ્રતિમા, એક ચોવીસ જિનપટ, ગૌતમસ્વામીની ધાતુપ્રતિમા હતી. સં. ૧૯૯૧માં શેઠ નાથાલાલ ખૂબચંદની વિધવા બાઈ ગંગાએ જિનાલય બંધાવ્યું હતું. વહીવટ શેઠ ધનરાજજી ખીમચંદજી હસ્તક હતો અને જિનાલયની સ્થિતિ સારી હતી. સં ૨૦૧૦માં અહીં કુલ ૪૦૦ જૈન કુટુંબો વસતા હતા. બે ઉપાશ્રય તથા એક ધર્મશાળા હતી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy