SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ સુરતનાં જિનાલયો પાર્શ્વનાથની પ્રતિમા સહિત કુલ નવ આરસ-પ્રતિમા તથા છ ધાતુપ્રતિમા છે. મહા સુદ ૧૩ને વર્ષગાંઠના દિને જમણવાર થાય છે તથા ધજાનો ચડાવો બોલાય છે. વહીવટ શ્રીપાલનગર જૈન જે. મૂ. દેરાસર ટ્રસ્ટના ટ્રસ્ટી – શ્રી જંયતિલાલ શાહ હસ્તક છે. ગામ - વાપી, મહાવીરનગર, તાલુકો - પારડી ૨૪. શ્રી વિમલનાથ (ચૌમુખી) (સં. ૨૦૫૦) વાપી નેશનલ હાઇવે નં૮ ઉપર ચાર રસ્તા પાસે, મહાવીરનગરમાં આશરે ૧૦ થી ૧૫ જૈન કુટુંબો વસે છે. અહીં શ્રાવક-શ્રાવિકાનો ઉપાશ્રય છે. અહીં સાદા પથ્થર તથા આરસનું બનેલું શ્રી વિમલનાથ ચૌમુખજીનું શિખરબંધી જિનાલય આવેલું છે. પ્રતિષ્ઠા સં. ૨૦૫૦માં જેઠ સુદ ત્રીજને દિને શ્રી કલાપ્રભસાગરજી મ. સા.ની નિશ્રામાં કચ્છના કોટડી તાલુકાના મહાદેવપુરી ગામના મેઘજી વેલજી સાવલાના પુત્રો દ્વારા થયેલ છે. ચૌમુખી આરસપ્રતિમામાં મૂળનાયક તરીકે બિરાજમાન શ્રી વિમલનાથ, શ્રી સુમતિનાથ, શ્રી વિમલનાથ તથા શ્રી ચંદ્રપ્રભુસ્વામી - ચારેય પ્રતિમા ૧૭” ઊંચી છે. પ્રતિમા પર સં. ૨૦૫૦નો લેખ છે. ચાર ધાતુપ્રતિમા છે. મહાકાળીમાતા તથા ચક્રેશ્વરીદેવીની આરસમૂર્તિ છે. શત્રુંજયનો પટ છે. જેઠ સુદ ત્રીજને વર્ષગાંઠના દિવસે જમણવાર થાય છે તથા ધજાનો ચડાવો બોલાય છે. વહીવટ શ્રી અંચલગચ્છ જૈ. મૂ. જૈન સંઘના ટ્રસ્ટીઓ – શ્રી હરીશભાઈ મેઘજી ગાલા, શ્રી મહેન્દ્રભાઈ સાવલા, શ્રી અમૃતભાઈ સાવલા તથા શ્રી વસંતભાઈ કાનજી ગાલા હસ્તક છે. ગામ - વાપી, તાલુકો - પારડી ૨૫. શ્રી નમિનાથ (ઘરદેરાસર) (સં. ૨૦૫૦ આસપાસ) વાપી ગામે છરવા રોડ પર “આસોપાલવમાં શ્રી મોહનલાલ ગુલાબચંદ શાહ પરિવારનું શ્રી નમિનાથનું ઘરદેરાસર આવેલું છે. સ્થાનિક માહિતી પ્રમાણે પ્રતિષ્ઠા સં. ૨૦૫૦ આસપાસમાં ફાગણ સુદ દશમને દિને થયેલ છે. ૩૧” ઊંચી મૂળનાયક શ્રી નમિનાથની આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy