________________
સુરતનાં જિનાલયો
૨૯૫
પારસમલ પ્રભુજી શાહ પરિવારનું શ્રી વાસુપૂજયસ્વામીનું ઘરદેરાસર આવેલું છે.
સં. ૨૦૪૩ આસપાસ આ. શ્રી રામચંદ્રસૂરિ મ. સા.ની નિશ્રામાં ૫” ઊંચી મૂળનાયક શ્રી વાસુપૂજયસ્વામીની ધાતુપ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી છે.
ગામ - વાપી, તાલુકો - પારડી વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં વાપી ગામમાં કુલ છવ્વીસ જિનાલયો આવેલા છે જે પૈકી ગામમાં ત્રણ શિખરબંધી જિનાલયો તથા સોળ ઘરદેરાસરો અને જી. આઈ. ડી. સી. તથા ચણોદ કોલોનીમાં ચાર જિનાલયો તથા ત્રણ ઘરદેરાસરોનો સમાવેશ થાય છે.
આદર્શવિહાર, મહાવીરનગર ચાર રસ્તા, ચણોદ કોલોની, નહેરુ સ્ટ્રીટ, અજિતનગર તથા શાંતિનગરમાં ઉપાશ્રય છે. નહેરુ સ્ટ્રીટમાં શ્રી લબ્ધિસૂરિ જ્ઞાનભંડાર તથા આયંબિલશાળા છે. અજિતનગર તથા શાંતિનગરમાં પાઠશાળા ચાલે છે.
ગામ - વાપી, જી. આઈ. ડી. સી., તાલુકો - પારડી
૨૨. શ્રી મહાવીરસ્વામી (સં. ૨૦૫૦) વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં વાપી ગામે જી. આઈ. ડી. સી.માં આદર્શવિહારમાં આરસનું બનેલું શ્રી મહાવીરસ્વામીનું ધાબાબંધી જિનાલય આવેલું છે. સામે ઉપાશ્રય છે.
પ્રતિષ્ઠા સં. ૨૦૫૦માં મહા વદ નોમને દિને આ શ્રી રામચંદ્રસૂરિ મ. સા.ની નિશ્રામાં ભણશાળી ગીરીશભાઈ હરકીશનદાસ દ્વારા કરવામાં આવેલ છે. ૨૫” ઊંચી મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની એક આરસપ્રતિમા તથા ચાર ધાતુપ્રતિમા છે. વર્ષગાંઠના દિને જમણવાર થાય છે. વહીવટ શ્રી મહાવીર સ્વામી જૈન દેરાસર સંઘના ટ્રસ્ટી શ્રી દીપકભાઈ આર. શાહ હસ્તક છે.
નોંધ : નવા જિનાલયનું બાંધકામ ચાલી રહ્યું છે.
ગામ - વાપી, જી. આઈ. ડી. સી., તાલુકો - પારડી
૨૩. શ્રી ભીડભંજન પાર્શ્વનાથ (સં. ૨૦૫૦) વલસાડ જિલ્લાના પારડી તાલુકાના વાપી ગામે જી. આઈ. ડી. સી. વિસ્તારમાં ગુંજન સિનેમા પાછળ, અડીયા હોસ્પિટલ રોડ પર શ્રી ભીડભંજન પાર્શ્વનાથનું શિખરબંધી જિનાલય છે.
પ્રતિષ્ઠા સં. ૨૦૫૦માં મહા સુદ ૧૩ને દિને શ્રી સોમસુંદરસૂરિ, શ્રી મહોદયસૂરિ, શ્રી રાજતિલકંસૂરિ, શ્રી જયકુંજરસૂરિ, શ્રી પૂર્ણચંદ્રસૂરિ, શ્રી મુક્તિપ્રભસૂરિ, શ્રી અમરગુપ્ત તથા શ્રી ચંદ્રગુપ્તસૂરિ આદિ મ. સા.ની ઉપસ્થિતિમાં થયેલ છે. ૫૧” ઊંચી મૂળનાયક શ્રી ભીડભંજન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org