SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો ૨૯૩ ધાતુપ્રતિમા છે. યક્ષ-યક્ષિણીની આરસમૂર્તિ છે. ચૈત્ર વદ છઠની વર્ષગાંઠના દિવસે જમણવાર થાય છે અને શ્રી નેમચંદ રાયસી શાહ પરિવાર દ્વારા કાયમી ધજા ચડે છે. વહીવટ હાલારી વિસા ઓસવાલ શાંતિધામના ટ્રસ્ટીઓ – શ્રી કપુરચંદ રાયસી શાહ, શ્રી કેશવજી ભારમલ સુમરીયા તથા શ્રી મૂળચંદ સોજવાલ કરણીયા હસ્તક છે. ગામ - બગવાડા, તાલુકો - પારડી ૧૯. શ્રી અજિતનાથ (સં. ૧૯૨૭) નવ ગામો – બગવાડા, કોપરલી, ગોઇમા, દેગામ, ખેરલાવ, અંબાચ, રાતા, પરીઆ તથા વાપીનું એકમ બગવાડા પરગણા જૈન સંઘ તરીકે ઓળખાય છે. પારડીથી ૮ કિ. મીના અંતરે તથા બગવાડા રેલવે સ્ટેશનથી ૧ કિ. મી. (વેસ્ટમાં) આવેલ ગામમાં અર્જુન ટેકરી પાસે શ્રી અજિતનાથનું શિખરબંધી પ્રાચીન જિનાલય આવેલું છે. ગામમાં ૧૫ જૈન કુટુંબો વસે છે. છેલ્લાં ૫૦ વર્ષમાં ચાર વ્યક્તિઓએ દીક્ષા લીધી છે. જિનાલય પાસે બે માળનો શ્રાવકશ્રાવિકાનો ઉપાશ્રય તથા ધર્મશાળા છે. જિનાલયના રંગમંડપમાં અજિતનાથના ભવો, મહાવીરસ્વામીને ઉપસર્ગ, ઈલાચીકુમાર, અનાથી મુનિ, શ્રેણિક-ચેલણારાણી, તારંગા, આબુ, ભોંયણી, ગિરનાર, સમેતશિખર, શત્રુંજય, પાવાપુરી, કેસરિયાજી, શંખેશ્વર, અષ્ટાપદ, ચંપાપુરી, પાનસર, રાણકપુર, ભદ્રેશ્વર, કાપરડાજી, ચક્રેશ્વરીદેવી, પદ્માવતીદેવી, લક્ષ્મીદેવી તથા સોળ મહાસતી વગેરે પદ-પ્રસંગોનું ચિત્રકામ, કાચકામ સુંદર છે. ગૌતમસ્વામીની આરસમૂર્તિ છે. ૨૧” ઊંચી મૂળનાયક શ્રી અજિતનાથની પ્રતિમા સહિત કુલ પાંચ આરસપ્રતિમા તથા છ ધાતુપ્રતિમા છે. ડાબી બાજુ આદિનાથ તથા જમણી બાજુ ધર્મનાથ છે. ઉપર ૨૫" ઊંચી શ્રી વિમલનાથની પ્રતિમા છે. અહીં અષ્ટમંગલ, મેરુ જન્માભિષેક, ચૌદ સ્વપ્ન, કેવલજ્ઞાન, દીક્ષાવિધિ, મહાવીરસ્વામી તથા નાગેશ્વર પાર્શ્વનાથ જેવા પ્રસંગો તથા તીર્થકરોનું ચિત્રકામ છે. જિનાલયની પાસે એક દેરી છે. તેમાં શ્રી હીરવિજયસૂરિ મ. સા.ની બે પાદુકા છે જેના પર સં. ૧૯૭૧નો લેખ છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં તાલુકા પારડીમાં ઉદવાડા સ્ટેશનથી ર માઇલના અંતરે બગવાડા ગામમાં વચ્ચે શ્રી અજિતનાથના શિખર વિનાના જિનાલયનો ઉલ્લેખ છે. કુલ પાંચ આરસપ્રતિમા તથા પાંચ ધાતુપ્રતિમા હતી. સં. ૧૯૨૭માં શ્રી સંઘે જિનાલય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy