________________
૨૮૭
સુરતનાં જિનાલયો
સં. ૨૦૨૫ના ફાગણ વદ ૭ના શુભ મુહૂર્ત આ. શ્રી કૈલાસસાગરસૂરિની નિશ્રામાં શ્રી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા થઈ હતી. ત્યારબાદ ગામમાં જૈન કુટુંબોની સંખ્યા વધતાં સંઘે શિખરબંધી જિનાલયનું નિર્માણ કરવાનું નક્કી કર્યું. હાલ શિખરબંધી જિનાલયના નિર્માણનું કાર્ય ચાલુ છે. શિલા સ્થાપન વિધિ તા. ૨૫-૫-૧૯૯૬ને રવિવારના રોજ આ શ્રી સુબોધસાગરસૂરિની નિશ્રામાં થઈ છે.
૨૧” ઊંચી મૂળનાયક શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પર સં. ૨૦૨૫નો લેખ છે. જમણી બાજુ સુવિધિનાથ તથા ડાબી બાજુ સુમતિનાથની આરસપ્રતિમા સહિત કુલ ત્રણ આરસપ્રતિમા તથા પાંચ ધાતુપ્રતિમા છે. પદ્માવતીદેવી તથા યક્ષ-યક્ષિણીની આરસમૂર્તિઓ છે. શત્રુંજય તીર્થનો પટ છે.
ફાગણ વદ ૭ની વર્ષગાંઠને દિને ગણેશમલ હંસાજી ગુગળિયા પરિવાર દ્વારા ધજા ચડે છે. વહીવટ શ્રી ભીલાડ પાર્શ્વનાથ ભગવાનની જૈન પેઢીના ટ્રસ્ટીઓ – શ્રી રાયચંદ ગેનમલજી મહેતા, શ્રી નરેન્દ્રકુમાર જીવરાજ શાહ, શ્રી ફૂલચંદજી દેવીચંદજી રાણાવત તથા શ્રી પ્રવીણકુમાર નમસુખજી બોરા હસ્તક છે.
જિનાલયનો સમય સં. ૨૦૨૫નો છે.
ગામ - વલવાડા, તાલુકો - ઉમરગામ
૧૦. શ્રી શામળા પાર્શ્વનાથ (સં. ૨૦૪૮) વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા મથકથી ૨૨ કિ. મી.ના અંતરે, વાપીથી ૬ કિ. મી.ના અંતરે કરમબેલ રેલવે સ્ટેશન સામે, નેશનલ હાઈવે નં. ૮ ઉપર વલવાડા ગામે શ્રી નેમિ લાવણ્ય વિવેક વિહાર નામની સંસ્થા છે. સાધુ-સાધ્વી મસા.નું વિહારધામ છે.
સંસ્થામાં પ્રવેશતાં જ સામે આરસનું બનેલું શ્રી શામળા પાર્શ્વનાથનું સામરણયુક્ત જિનાલય નજરે પડે છે. તેની આજુબાજુમાં સાધુ-સાધ્વીજીના ઉપાશ્રય છે.
- જિનાલયની પ્રતિષ્ઠા સં૨૦૪૮માં મહા સુદ ૧૩ને દિને આ. શ્રી વિજયમહિમાપ્રભસૂરિ મ. સા.ની નિશ્રામાં બોરસદવાળા શ્રીમતી મુદ્રાબહેન શૈલેષભાઈ શાહ પરિવાર (હાલમુંબઈ) દ્વારા થયેલ છે.
૨૧” ઊંચી મૂળનાયક શ્રી શામળા પાર્શ્વનાથની સપરિકર પ્રતિમાની જમણી બાજુ શાંતિનાથ તથા ડાબી બાજુ આદેશ્વરની આરસપ્રતિમા મળીને કુલ ત્રણ આરસપ્રતિમા તથા એક ધાતુપ્રતિમા છે. શત્રુંજય તીર્થ પટ છે.
મહા સુદ ૧૩ને વર્ષગાંઠને દિને બોરસદવાળા શ્રી ભાઈલાલ તલકચંદ શાહ પરિવાર (હાલ-મુંબઈ) દ્વારા ધજા ચડે છે. વહીવટ શ્રી નેમિ લાવણ્ય વિવેક વિહાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ – શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org