SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ સુરતનાં જિનાલયો દક્ષિણાભિમુખ જિનાલયના રંગમંડપની દીવાલો પાવાપુરી, તારંગા, સમવસરણ, નેમનાથની જાન, ચૌદ સ્વપ્નો, મેરુ પર્વત, શંખેશ્વર પાર્શ્વનાથ, ધરણેન્દ્ર-પદ્માવતી, રાજગીરી, પાલીતાણા, શત્રુંજય, ઇસુ રસના પારણાં, આબુ, દેલવાડા, શત્રુંજય, સમેતશિખર, ગિરનાર, કેસરિયાજી જેવા પટ-પ્રસંગોથી ખચિત છે. ૨૧” ઊંચી મૂળનાયક શ્રી શીતલનાથની પ્રતિમા પર સં. ૧૯૯૪નો લેખ છે. ડાબી બાજુ મહાવીરસ્વામી તથા જમણી બાજુ શાંતિનાથની આરસપ્રતિમા મળીને કુલ ત્રણ આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા છે. જિનાલય પાસે રાયણવૃક્ષ અને તેની નીચે આદેશ્વરના આરસનાં પગલાંની એક જોડ છે. તેના પર સં. ૨૦૧૫નો લેખ છે. તેની બાજુમાં ત્રણ દેરીમાં અનુક્રમે શ્રી જિનચંદ્રસૂરિ મ. સા.ના આરસનાં પગલાંની જોડ, શ્રી જિનદત્તસૂરિની ગુરુમૂર્તિ તથા શ્રી જિનકુશલસૂરિની પાદુકા છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ભીલાડ સ્ટેશનથી ૮ માઈલ દૂર આવેલ ફણસા ગામમાં શ્રી ચંદ્રપ્રભુનું ઘરદેરાસર હોવાની નોંધ છે. સં. ૧૯૯૧માં શેઠ અમરચંદજી ખૂબચંદજીએ ઘરદેરાસર બંધાવ્યું હતું અને વહીવટ શ્રી દલીચંદ મૂળચંદ હસ્તક હતો. મકાનની સ્થિતિ સાધારણ હતી. એક ધાતુપ્રતિમા હતી. ગામમાં ૧૨૫ જૈન કુટુંબો વસતાં હતાં અને એક ઉપાશ્રય હતો. ઉપર્યુક્ત ઘરદેરાસર વિશે કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી. હાલ અહીં શ્રી શીતલનાથનું શિખરબંધી જિનાલય વિદ્યમાન છે. જિનાલયની વર્ષગાંઠ - મહા સુદ દશમને દિને જમણવાર થાય છે અને શ્રી ઉદેચંદજી પૂનમચંદજી છાજેડ પરિવાર દ્વારા કાયમી ધજા ચડે છે. વહીવટ શ્રી છે. મૂ. જૈન સંઘ - ફણસાના ટ્રસ્ટીઓ – શ્રી ઈશ્વરલાલ પ્રેમચંદ શાહ, શ્રી પ્રદીપકુમાર રમણલાલ શાહ, શ્રી હર્ષદકુમાર કાંતિલાલ શાહ, શ્રી માંગીલાલ સરદારમલ છાજેડ તથા શ્રી પ્રવીણભાઈ શાંતિલાલ છાજેડ હસ્તક છે. ગામ - ભીલાડ, તાલુકો - ઉમરગામ ૯. શ્રી પાર્શ્વનાથ (સં. ૨૦૨૫) વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા મથકથી ૨૦ કિ. મી.ના અંતરે ભીલાડ નેશનલ હાઇવે નં. ૮ અને ભીલાડ રેલવે સ્ટેશન છે. હાલ ૬૦ જૈન કુટુંબો વસે છે. છેલ્લાં ૫૦ વર્ષમાં બે વ્યક્તિએ દીક્ષા લીધેલ છે. અહીં નેમિદાસ અભેચંદભાઈ માંગરોલવાળા શ્રાવક ઉપાશ્રય તથા ભગાજી જસાજી નહાર જૈન ભવન નામે શ્રાવિકાનો ઉપાશ્રય છે. ઉપાશ્રયમાં જ્ઞાનભંડાર છે. તેમાં આશરે ૨૦૦થી વધુ છાપેલા ગ્રંથો છે. આયંબિલશાળા છે. શ્રી પાર્શ્વનાથનું જિનાલય છે. તેની પાછળ પૂજાજી હેમાજી જૈન વાડી છે જેમાં શ્રી અભયદેવસૂરીશ્વરજી જૈન પાઠશાળા ચાલે છે. ૭૬ બાળકો ધાર્મિક અભ્યાસ કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy