________________
સુરતનાં જિનાલયો
૨૮૫
વધતાં દેવીયર ગામ આવેલું છે. દેહરી ગોવાડા નામે પણ ઓળખાય છે. અહીં કુલ ચાર જૈન કુટુંબો વસે છે. ગામમાં આરસનું બનેલું શ્રી વિમલનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે. જિનાલયની સામે કોમન ઉપાશ્રય છે.
પુનઃ પ્રતિષ્ઠા સં૨૦૪૮માં આ શ્રી યશોવર્મસૂરિ મ. સા.ની નિશ્રામાં સ્વ. વિમળાબહેન મણિલાલ શાહ પરિવાર દ્વારા થયેલ છે.
જિનાલય ઉત્તરાભિમુખ છે. શત્રુંજય તથા સમેતશિખરના પટ છે. ૧૭” ઊંચી મૂળનાયક શ્રી વિમલનાથની પ્રતિમાની ડાબી બાજુ શંખેશ્વર પાર્શ્વનાથ તથા જમણી બાજુ વાસુપૂજયસ્વામી બિરાજમાન છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ઉમરગામ રોડથી ૪ માઇલ દૂર દવીઅર (દીવીયર) ગામમાં વિમલનાથના ધાબાબંધી જિનાલયનો ઉલ્લેખ થયો છે. કુલ બે આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા હતી. મૂળનાયક પર સં. ૧૯૦૩નો લેખ હતો. સં. ૧૯૮૯માં શ્રી સંઘે જિનાલય બંધાવ્યું હતું. વહીવટ શ્રી છગનલાલ હજારીમલજી હસ્તક હતો અને જિનાલયની સ્થિતિ સારી દર્શાવી હતી. કુલ ૩૦ જૈન કુટુંબો ગામમાં વસતા હતા તથા એક ઉપાશ્રય હતો.
આજે મહા વદ પાંચમને વર્ષગાંઠને દિને ધજા ચડે છે. વહીવટ શ્રી દેહરી જૈન શ્વેમૂ સંઘના ટ્રસ્ટીઓ – શ્રી ધનવંતલાલ મણિલાલ શાહ, શ્રી જયંતિલાલ પન્નાલાલ શાહ, શ્રી ભંવરલાલ મીસરીમલ શાહ, શ્રી માણેકલાલ પન્નાલાલ શાહ, શ્રી રાજેન્દ્રભાઈ મીસરીમલ શાહ, શ્રી વિનયકુમાર મોહનલાલ શાહ તથા શ્રી કાંતિલાલ પન્નાલાલ શાહ હસ્તક છે.
સં. ૨૦૧૦માં જિનલાય બંધાયા સંવત ૧૯૮૯ દર્શાવેલ છે. તે સંદર્ભમાં જિનાલયનો સમય. સં. ૧૯૮૯નો છે. પુનઃ પ્રતિષ્ઠા સં. ૨૦૪૮માં થયેલ છે.
ગામ - ફણસા, તાલુકો - ઉમરગામ
૮. શ્રી શીતલનાથ (સં. ૨૦૧૫) વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાથી ૩૦ કિ. મી.ના અંતરે તથા ભીલાડ રેલવે સ્ટેશનથી ૧૩ કિ. મી.ના અંતરે ફણસા ગામ આવેલું છે. અહીં ૪ર જૈન કુટુંબો વસે છે. છેલ્લાં ૫૦ વર્ષમાં બે વ્યક્તિએ દીક્ષા લીધેલ છે. ગામમાં ઉપાશ્રય, આયંબિલશાળા તથા આરસનું બનેલું
શ્રી શીતલનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે. ઉપર શિખરમાં ૧૩” ઊંચી મૂળનાયક શ્રી • આદેશ્વરની એક માત્ર આરસપ્રતિમા છે.
પ્રતિષ્ઠા સં. ૨૦૧૫ મહા સુદ દશમને તા. ૧૮-૨-૧૯૫૯ના રોજ આ શ્રી ધર્મસૂરિ મ. સા.ની નિશ્રામાં થયેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org