SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ સુરતનાં જિનાલયો બંધાવેલ છે. અહીં પાઠશાળામાં ૪૦ થી ૫૦ બાળકો ભણે છે. બાજુમાં શિખરબંધી જિનાલયના નિર્માણનું કાર્ય ચાલે છે. શેઠ શ્રી ચુનીલાલ ગમંડીરામજી ચંદન દ્વારા આ જિનાલય બંધાવવામાં આવી રહ્યું છે. હાલ ૯” ઊંચી મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની ધાતુપ્રતિમા સહિત કુલ ચાર ધાતુપ્રતિમા છે. પ્રતિષ્ઠા સં. ૨૦૪પમાં જેઠ સુદ ૧૧ના રોજ આઠ શ્રી યશોવર્મસૂરિની નિશ્રામાં થયેલ છે. વહીવટ શ્રી જૈન છે. મૂ. સંઘના ટ્રસ્ટીઓ – શ્રી ચુનીલાલ ગમંડરામજી ચંદન, શ્રી હસ્તીમલજી ગમંડીરામજી ચંદન, શ્રી શાંતિલાલ સોહનલાલ મરડીયા, શ્રી અશોકભાઈ સૂરજમલજી શાહ તથા શ્રી બાબુભાઈ મગરાજ ધનેશા હસ્તક છે. ગામ - ખતલવાડા, તાલુકો - ઉમરગામ ૬. શ્રી મુનિસુવ્રતસ્વામી (સં. ૨૦૨૫) " વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા મથકથી ૧૪ કિ. મી. તથા સંજાણ સ્ટેશનથી ૫ કિ. મી.ના અંતરે નારગોલ બંદર રોડ ઉપર ખતલવાડા ગામ છે. કુલ ૧૮ જૈન કુટુંબો વસે છે. વાણિયાશેરીમાં આરસનું બનેલું શ્રી મુનિસુવ્રતસ્વામીનું સામરણયુક્ત જિનાલય આવેલું છે. નીચે શ્રાવકનો ઉપાશ્રય અને ઉપર જિનાલય છે. પ્રતિષ્ઠા સં. ૨૦૨૫માં ફાગણ સુદ સાતમને તા. ૧૦-૩-૧૯૬૯ના દિને આ. શ્રી ધર્મસૂરિ મ. સા.ની નિશ્રામાં થયેલ છે. ત્યારબાદ સં. ૨૦૫૧માં આ૮ શ્રી યશોવર્મસૂરિ મ. સા.ની નિશ્રામાં પુનઃ પ્રતિષ્ઠા થયેલ છે. ૨૧” ઊંચી મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા પર સં. ૨૦૨૩નો લેખ છે. ડાબી બાજુ શાંતિનાથ તથા જમણી બાજુ ચંદ્રપ્રભુસ્વામીની પ્રતિમા સહિત કુલ ત્રણ આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા છે. શત્રુંજય તીર્થનો પટ છે. યક્ષ-યક્ષિણીની આરસમૂર્તિ છે. વહીવટ શ્રી ખતલવાડા જૈન શ્વે. મૂ. સંઘના ટ્રસ્ટીઓ – શ્રી મોહનલાલ નાનચંદ શાહ, શ્રી કેસરીમલ જીવાજી શાહ, શ્રી મોહનલાલ જીવાજી શાહ, શ્રી માંગીલાલ સૂરજમલ શાહ તથા શ્રી પ્રકાશભાઈ તારાચંદ શાહ હસ્તક છે. ટૂંકમાં આ જિનાલયનો સમય સં૨૦૨૫નો છે. ગામ - દેવીયર, તાલુકો - ઉમરગામ |. ૭. શ્રી વિમલનાથ (સં. ૧૯૮૯) વલસાડ જિલ્લાના ઉમરગામ ટાઉનથી ૪ કિ. મી. દરિયાકિનારાને સમાંતર આગળ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy