SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ સુરતનાં જિનાલયો સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં જલાલપોરમાં વાણિયાવાડમાં શાંતિનાથના શિખરબંધી જિનાલયનો ઉલ્લેખ થયો છે. કુલ દસ આરસપ્રતિમા, આઠ ધાતુપ્રતિમા તથા ત્રણ રજત ચોવીસી પટ હતા. સં૧૯પરમાં શ્રી સંઘે જિનાલય બંધાવ્યું હતું. વહીવટ શેઠ વીરચંદ મોતીચંદ હસ્તક હતો. સ્થિતિ સાધારણ હતી. ગામમાં ૧૦૦ જૈન કુટુંબો વસતાં હતાં. એક ઉપાશ્રય, એક ધર્મશાળા તથા એક પુસ્તક ભંડાર હતો. શ્રી દાનસૂરિ તથા શ્રી કમલસૂરિની આરસમૂર્તિઓ હતી. આજે આ જિનાલયમાં કુલ દસ આરસપ્રતિમા છે. ફાગણ સુદ નોમને વર્ષગાંઠના દિને જમણવાર થાય છે તથા ધજાનો ચડાવો બોલાય છે. વહીવટ શ્રી શાંતિનાથ ભગવાન જૈન દેરાસર પેઢીના ટ્રસ્ટીઓ – શ્રી કાંતિલાલ વીરચંદ શાહ, શ્રી નાથુભાઈ મગનલાલ શાહ તથા શ્રી જયકુમાર વીરચંદ શાહ હસ્તક છે. દર પૂનમે તથા બેસતા મહિને ભાથું અપાય છે. અખંડ દીવો છે. જિનાલયના કંપાઉંડમાં શ્રાવકનો ઉપાશ્રય છે. શ્રી સિદ્ધિવિજય જૈન લાઇબ્રેરીમાં ૭00 પ્રિન્ટેડ પુસ્તકો છે. પાઠશાળામાં ૧૩ બાળકો ધાર્મિક અભ્યાસ કરે છે. જૈન વાડી છે. ટૂંકમાં જિનાલયનો સમય સં. ૧૯૫૨નો છે. ગામ - અમલસાડ, તાલુકો - ગણદેવી ૨૧. શ્રી શાંતિનાથ (સં. ૧૯૬૩) નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાથી ૫ કિ. મી.ના અંતરે અમલસાડ ગામ છે. રેલવે સ્ટેશન છે. નવસારીથી અબ્રામા થઈ અમલસાડ થઈ બીલીમોરા જવાય છે. ઉપરાંત નવસારીથી નવાગામ, કોલવા, કછોલી, ધમડાછા થઈ અમલસાડ થઈ બીલીમોરા જવાય છે. હાલ અમલસાડ ગામમાં ૬૦ જૈન કુટુંબો વસે છે. રેલવે ફાટક પાસે સાદા પથ્થર તથા આરસનું બનેલું શ્રી શાંતિનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે. જિનાલય પાસે શાંતાબહેન હીરાચંદ ધૂળચંદ શાહ જૈન ઉપાશ્રય તથા દિવાળીબહેન ઓખાજી શાહ જૈન મહિલા ઉપાશ્રય – શ્રાવક-શ્રાવિકાનો ઉપાશ્રય છે. સ્થાનિક માહિતી પ્રમાણે અહીં કાષ્ઠનું જિનાલય હતું. કાળક્રમે જીર્ણ થતાં સં. ૨૦૪૫માં વૈશાખ સુદ બીજને તા. ૭-૫-૮૯ના દિને આ. શ્રી પ્રબોધચંદ્રસૂરિની નિશ્રામાં જીર્ણોદ્ધાર થયો છે. કંપાઉંડમાં જમણી બાજુ ગુરુમંદિર છે જેમાં આ શ્રી કુમુદચંદ્રસૂરિની આરસની ગુરુમૂર્તિ છે. રંગમંડપમાં માણિભદ્રવીરની મૂર્તિ તથા ગૌતમસ્વામીની ધાતુમૂર્તિના ગોખ છે. સમેતશિખર, શત્રુંજય, નંદીશ્વર દ્વીપ, નવપદજી, આબુ, અચલગઢ, ગિરનાર, અષ્ટાપદ તથા શાંતિનાથના ભવ – જેવા પટ-પ્રસંગો છે. ૧૯" ઊંચી મૂળનાયક શ્રી શાંતિનાથની પ્રતિમા પર લેખ છે. ડાબી બાજુ સંભવનાથ તથા જમણી બાજુ ચંદ્રપ્રભુસ્વામી સહિત કુલ ત્રણ આરસપ્રતિમા તથા અગિયાર ધાતુપ્રતિમા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy