SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો ૨૬૭ ઉપર શિખરમાં વાસુપૂજયસ્વામીની ૧૩” ઊંચી એક આરસપ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. અહીં સામે એક ગભારાની રચના છે. તેમાં વાસુપૂજ્યસ્વામી, સુવિધિનાથ, ચંદ્રપ્રભુ તથા મલ્લિનાથ – એમ ચાર આરસપ્રતિમા ચૌમુખજીમાં છે. ચારેય પ્રતિમા ૧૩” ઊંચી છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં અમલસાડ સ્ટેશન નજીક શાંતિનાથના શિખરબંધી જિનાલયનો ઉલ્લેખ છે. કુલ ત્રણ આરસપ્રતિમા, પાંચ ધાતુપ્રતિમા તથા એક રજત ચોવીસી પટ હતો. સં. ૧૯૬૩માં શેઠ લાલચંદ મોતીચંદે જિનાલય બંધાવ્યું હતું. વહીવટ શેઠ ફકીરચંદ લાલચંદ હસ્તક હતો. સ્થિતિ સાધારણ હતી. ગામમાં ૧૫૦ જૈન કુટુંબો વસતાં હતાં. બે ઉપાશ્રય તથા એક લાઇબ્રેરી હતી. આજે જિનાલયમાં ભોંયતળિયે શાંતિનાથના ગભારામાં ત્રણ આરસપ્રતિમા, ઉપર શિખરમાં વાસુપૂજ્ય-સ્વામીના ગભારામાં એક આરસપ્રતિમા તથા તેની સામેના ગભારામાં ચૌમુખજીની એક આરસપ્રતિમા મળીને કુલ પાંચ આરસપ્રતિમા છે. વૈશાખ સુદ દશમની વર્ષગાંઠના દિને જમણવાર થાય છે તથા ધજાનો ચડાવો બોલાય છે. વહીવટ શ્રી જૈન સંઘ – અમલસાડના ટ્રસ્ટીઓ – શ્રી નલીનભાઈ મોતીલાલ શાહ, શ્રી ભરતભાઈ છોટુભાઈ શાહ તથા શ્રી વિનોદભાઈ રતીલાલ શાહ હસ્તક છે. સં૨૦૧૦માં જણાવ્યા અનુસાર આ જિનાલયનો સમય સં. ૧૯૬૩નો છે. ગામ - ગણદેવી, તાલુકો - ગણદેવી ૨૨. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ (સં. ૧૬૮૯ પૂર્વે) નવસારી જિલ્લામાં હાલ ગણદેવી ગામ તાલુકો છે. શેરડીનો પાક સારો થાય છે. નજીકમાં બીલીમોરા રેલવે સ્ટેશન છે. હાલ અહીં ૪૦ જૈન કુટુંબો વસે છે. ગામમાં ઉપાશ્રય મહોલ્લામાં સાદા પથ્થર તથા આરસનું શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે. જિનાલયની પાસે શ્રાવક-શ્રાવિકાનો બે માળનો ઉપાશ્રય છે. જ્ઞાનભંડારમાં ૩૦૦ પ્રિન્ટેડ પુસ્તકો છે. ઉપાશ્રયમાં શ્રી વિનોદચંદ્ર લક્ષ્મીચંદ રાયચંદ શાહ જૈન પાઠશાળા ચાલે છે જેમાં ૫૦ બાળકો ધાર્મિક અભ્યાસ કરે છે. નવી વાડી બંધાય છે. સ્થાનિક માહિતી પ્રમાણે પૂર્વે કાષ્ઠનું જિનાલય હતું. પુનઃ પ્રતિષ્ઠા સં૨૦૦૯માં ફાગણ સુદ ત્રીજને દિને આ. શ્રી દક્ષસૂરિ મ. સા.ની નિશ્રામાં થઈ હતી. જિનાલયના કંપાઉંડમાં ઑફિસ, વાડી, પાઠશાળા-ઉપાશ્રય તથા પ્રવચન હોલ છે. માણિભદ્રવીરની દેરી છે. અન્ય એક દેરીમાં શ્રી નેમિસૂરિ મ. સા.ની આરસની ગુરુમૂર્તિ છે. રંગમંડપમાં પંચપહાડ, રાણકપુર, તારંગા, સમેતશિખર, ગિરનાર, પાવાપુરી, કપડાજી, આબુ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy