________________
૨૬૫
સુરતનાં જિનાલયો ધાતુપ્રતિમા છે.
વહીવટ શ્રી રશ્મીકાન્તભાઈ વસંતલાલ દાવડા, શ્રી અરવિંદભાઈ દાવડા તથા શ્રી કમલેશભાઈ દાવડા હસ્તક છે.
ગામ - જલાલપોર, તાલુકો - નવસારી
૨૦. શ્રી શાંતિનાથ (સં. ૧૯૫૨) નવસારી રેલવે સ્ટેશનથી દોઢ કિ. મી.ના અંતરે આવેલ જલાલપોરમાં ૧૫ જૈન કુટુંબો વસે છે. છેલ્લાં ૫૦ વર્ષમાં ત્રણ વ્યક્તિઓએ દીક્ષા લીધેલ છે. અહીં સાદા પથ્થર તથા આરસનું બનેલું શ્રી શાંતિનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે.
હાલ જીર્ણોદ્ધારનું કામ ચાલે છે. જિનાલયની પાસે શ્રી કમલસૂરિ મ. સા.નું ગુરુમંદિર છે. તેમાં આ. શ્રી કમલસૂરિ, આ. શ્રી લબ્ધિસૂરિ તથા આ. શ્રી દાનસૂરિની આરસની ગુરુમૂર્તિ છે. પ્રતિષ્ઠા સં. ૧૯૫૮માં થયેલ છે. શ્રી કમલસૂરિ મ. સા. અત્રે કાળધર્મ પામ્યા હતા. તેમનો અગ્નિસંસ્કાર જલાલપોર રોડ ઉપર કરવામાં આવ્યો હતો જ્યાં તેઓશ્રીનું સમાધિમંદિર છે.
જિનાલયમાં શિલાલેખ છે જે નીચે મુજબ છે :
સં. ૧૯૪૮ માત્ર સુદ ૧૧નું દેરાસરજીનું ખાતમૂહુર્ત કરી સંઘે દેરાસર બાંધવાનું શરૂ કરી તેમાં નીચેની જમીન શા. લંબાજી ભગવાનના નામથી શા ભીખા ભગવાનજીએ અર્પણ કરી છે તેના ઉપર દેરાસર બાંધ્યું છે આ દેરાસરમાં સંવત ૧૯૫ર ફાગણ સુદ ૯ને રવિવારે ભગવાનને | ગાદી નશીન કીધા છે.”
- જિનાલયમાં શત્રુંજય, ગિરનાર, સમેતશિખર, અષ્ટાપદ, આબુ, ચંપાપુરી, રાજગૃહી તથા પાવાપુરી તીર્થ પટ છે.
ભોંયતળિયે ૨૧” ઊંચી મૂળનાયક શ્રી શાંતિનાથની આરસપ્રતિમા છે. ડાબા ગભારે મહાવીરસ્વામી તથા જમણા ગભારે અજિતનાથ બિરાજમાન છે. કુલ નવ આરસપ્રતિમા તથા દસ ધાતુપ્રતિમા છે. આરસનાં પગલાંની બે જોડ છે.
ઉપર શિખરમાં શ્રી આદેશ્વરની ૨૭” ઊંચી આરસપ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. તેની બંને બાજુ નેમરાજા તથા રાજુલની મૂર્તિ છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં નવસારી સ્ટેશનથી ૧ માઈલ દૂર જલાલપુરમાં વાણિયાવાસમાં શાંતિનાથના એક શિખરબંધી જિનાલયનો ઉલ્લેખ થયો છે. શ્રી સંઘે સં. ૧૯૫૨માં જિનાલય બંધાવ્યું હતું. કુલ અગિયાર આરસપ્રતિમા, સાત ધાતુપ્રતિમા તથા પગલાંની બે જોડ હતી. જિનાલયની સ્થિતિ સારી હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org