SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો ૨૬૩ તથા સુધર્માસ્વામીની આરસમૂર્તિઓના ગોખ છે. ૨૧” ઊંચી મૂળનાયક શ્રી આદેશ્વરની પ્રતિમા સહિત કુલ અગિયાર આરસપ્રતિમા છે. ડાબા ગભારે મહાવીરસ્વામી તથા જમણા ગભારે શંખેશ્વર પાર્શ્વનાથ બિરાજે છે. મૂળનાયક શ્રી આદેશ્વરની સન્મુખ, જિનાલયની બહાર શ્રી પુંડરીકસ્વામીની દેવકુલિકા છે. જેમાં મધ્ય પુંડરીકસ્વામી, તેમની ડાબી બાજુ શ્રેયાંસનાથ તથા જમણી બાજુ મુનિસુવ્રતસ્વામી છે. પ્રતિષ્ઠા સં. ૨૦૫૭ના મહા વદ એકમને શુક્રવાર તા. ૯-૨-૨૦૦૧ના દિને થયેલ છે. - જિનાલયની જમણી બાજુ માણિભદ્રવીરની દેરી છે. ડાબી બાજુ પરબ, બોર્ડિંગ તથા રમણલાલ છગનલાલ શાહ આરાધના ભવન છે. જિનાલયની પાછળ રાયણ પગલાં તથા શત્રુંજય પટ છે. સ્થાનિક માહિતી પ્રમાણે અહીં આંટ ગામનું ઘરદેરાસર પધરાવેલું છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં નવસારીથી ૬ માઈલ દૂર આંટ ગામમાં બજારમાં શ્રી આદેશ્વરનું ઘરદેરાસર હોવાની નોંધ છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા હતી. સં. ૧૯૫૦ લગભગમાં શ્રી સંઘે ઘરદેરાસર બંધાવ્યું હતું. વહીવટ ભીખાભાઈ ડાહ્યાભાઈ હસ્તક હતો. સ્થિતિ સારી હતી. ગામમાં ૨૫ જૈન કુટુંબો વસતાં હતાં અને એક ઉપાશ્રય પણ હતો. મહા વદ એકમની વર્ષગાંઠના દિવસે જમણવાર થાય છે અને શાહ પાનાચંદ સવાઈચંદ દ્વારા કાયમી ધજા ચડે છે. વહીવટ શ્રી આદેશ્વર ભગવાન જૈન દેરાસર પેઢીના ટ્રસ્ટીઓ – શ્રી અતુલભાઈ હસમુખલાલ શાહ, શ્રી રણજીતરાય ઠાકોરલાલ શાહ તથા શ્રી કાંતિભાઈ લલ્લુભાઈ શાહ હસ્તક છે. શ્રી આદેશ્વર જે. મૂ. પૂ. જૈન સંઘના ઉપક્રમે ધુડાલાલ મગનલાલ આકારણી જૈન ઉપાશ્રય, ઉર્મીલાબહેન પ્રવીણચંદ્ર મહેતા શ્રાવિકા આરાધના ભવન તથા અરિહંત એપાર્ટમેન્ટ આરાધના ભવન, સુશીલાબહેન વિનોદભાઈ મહેતા આયંબિલ ભવન, જિતેન્દ્રસૂરિ મ. સા. પ્રેરિત જ્ઞાનભંડાર તથા શાહ માલાણી ઝવેરી જૈન પાઠશાળા - કાનજીવાડી, શાંતાદેવી રોડ આદિનો વહીવટ થાય છે. ગામ - નવસારી, તાલુકો - નવસારી ૧ ૧૮. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ (સં. ૧૯૯૮) નવસારી રેલવે સ્ટેશન પાસે, રાયચંદ રોડ પર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. જિનાલયની બાજુમાં શ્રી હસમુખલાલ રાયચંદ શાહ જૈન ઉપાશ્રય તથા નાથાભાઈ નેમચંદ શાહ જૈન ઉપાશ્રય એમ શ્રાવક-શ્રાવિકાના ઉપાશ્રય છે. ઉપાશ્રયમાં પાઠશાળા ચાલે છે જેમાં ૪૦ બાળકો ધાર્મિક અભ્યાસ કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy