________________
સુરતનાં જિનાલયો
પ્રતિષ્ઠા સં. ૨૦૪૩માં મહા વદ છઠના રોજ પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સાની નિશ્રામાં શ્રી કાંતિલાલ લલ્લુભાઈ શાહ દ્વારા થયેલ છે. ૭” ઊંચી મૂળનાયક શ્રી સીમંધરસ્વામીની એક માત્ર ધાતુપ્રતિમા આરસના ગોખમાં બિરાજમાન છે. ગોખમાં જ ધજા ચડે છે.
ગામ નવસારી, તાલુકો - નવસારી ૧૪. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ (સં. ૨૦૪૬)
નવસારી, ટાટા હોલ સામે, એન્ડીઝ એપાર્ટમેન્ટમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું સામરણયુક્ત જિનાલય આવેલું છે.
૨૬૧
પ્રતિષ્ઠા સં. ૨૦૪૬માં મહા સુદ છઠના રોજ આ શ્રી સુબોધસાગરસૂરિની નિશ્રામાં થયેલ છે. જિનાલય એપાર્ટમેન્ટના રહીશોએ બંધાવ્યું છે.
મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની ૨૧' ઊંચી એક આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા છે. વહીવટ શ્રી કનુભાઈ એફ દોશી તથા શ્રી નલીનભાઈ કે. કોઠારી હસ્તક છે.
ગામ
નવસારી, તાલુકો નવસારી
૧૫. શ્રી મહાવીરસ્વામી (ચૌમુખજી) (સં. ૨૦૫૦)
નવસારી, આશાનગરમાં અજિત સોસાયટીમાં આરસનું બનેલું શ્રી મહાવીરસ્વામીનું સામરણયુક્ત જિનાલય આવેલું છે.
પ્રતિષ્ઠા સં. ૨૦૫૦માં કારતક વદ દશમને દિને શ્રી પ્રબોધચંદ્રસૂરિની નિશ્રામાં થઈ છે. મધુમતી મોટા બજારમાં ખોદકામ કરતાં મળી આવેલ પ્રતિમા અહીં પ્રતિષ્ઠિત કરવામાં આવી છે.
ગભારામાં ૩૧” ઊંચી મૂળનાયક શ્રી મહાવીરસ્વામી, શ્રી આદેશ્વર, શ્રી નેમનાથ તથા શ્રી શાંતિનાથની – ચૌમુખજી પ્રતિમા છે તથા છ આરસપ્રતિમા અને અગિયાર ધાતુપ્રતિમા છે. શત્રુંજય, ગિરનાર તથા પાવાપુરીના પટ છે. આ શ્રી કુમુદચંદ્રસૂરિની ગુરુમૂર્તિ છે. ઉપરાંત પદ્માવતીદેવી, ચક્રેશ્વરીદેવી, સરસ્વતીદેવી, નાકોડા ભૈરવ, ઘંટાકર્ણવીર તથા માણિભદ્રવીર છે.
જિનાલયમાં કુલ સાત આરસપ્રતિમા છે. કારતક વદ દશમને દિને શાહ મોહનલાલ રાયચંદ સીસોદરાવાલા પરિવાર દ્વારા કાયમી ધજા ચડે છે. વહીવટ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની પેઢીના ટ્રસ્ટીઓ – શ્રી મનુભાઈ ટી. મહેતા, શ્રી ગમનલાલ ચુનીલાલ ઝવેરી તથા શ્રી રણજીતભાઈ ટી. શાહ હસ્તક છે.
અહીં મુક્તિબંગલોમાં પાઠશાળા ચાલે છે જ્યાં ૧૩૦ બાળકો ધાર્મિક અભ્યાસ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org