SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો ૨૫૯ નવસારી નગરે વર્તમાનમાં બિરાજમાન શ્રી પાર્શ્વનાથ તે આ જ હોઈ શકે. શ્રી શુભશીલગુણિ જમીનમાંથી પ્રગટ થયેલા તે પાર્શ્વનાથ શ્યામ વર્ણના હોવાનું નોંધે છે. વર્તમાનમાં બિરાજમાન પાર્શ્વનાથનો વર્ણ ભૂખરો છે. પણ લેપના કારણે ફેરફાર થયો હોય તે સંભવિત છે. ૧૫મા સૈકામાં શ્રી કીર્તિમેરુએ શાશ્વતા તીર્થમાલામાં નવસારી તીર્થની પણ નોંધ કરી છે. સં. ૧૫૨૧માં શ્રી શુભશીલગુણિકૃત પ્રબન્ધ પંચશતિ નામના ગ્રંથમાં નવસારીના શ્યામલ પાર્શ્વનાથનો પ્રબન્ધ પણ આલેખાયો છે. સં. ૧૬૦૯માં મુનિ શ્રી ગુણવિજયના શિષ્ય રચેલા ૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવનમાં પણ આ પાર્શ્વનાથનો નામનિર્દેશ થયો છે. સં. ૧૬૫૬ના આસો વદ ૮ ને સોમવારે રચાયેલા શ્રી નયસુંદરકૃત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદમાં નવસારીના પાર્શ્વનાથની પણ સ્તવના કરવામાં આવી છે. સં. ૧૬૮૯માં વિનયવિજય ઉપાઠ કૃત સૂર્યપૂર ચૈત્યપરિપાટીમાં સુરતના ચૈત્યોની સાથે નવસારીના આ જિનાલયનો ઉલ્લેખ છે. ઘણદીવિ ચિંતામણિ જુહરિ નવસારી શ્રીપાસ એ. હાંસોટ ભગવઈ દેવ પૂજી ફલી મનની આસ એ. ૧૩ સં. ૧૭૨૧માં મેઘવિજયકૃત શ્રી પાર્શ્વનાથ નામમાલામાં શ્રી નવસારી પાર્શ્વનાથના નામની પણ નોંધ છે. સં. ૧૭૪૬માં શીલવિજયકૃત તીર્થમાલામાં પણ આ પાર્શ્વનાથની નોંધ છે. સં. ૧૮૮૧માં કવિશ્રી ઉત્તમવિજયે ગાયેલા શ્રી પાર્શ્વપ્રભુના ૧૦૮ નામના છંદમાં નવસારીના નાથને નમન કરાયાં છે. - સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં નવસારી શ્રાવક મહોલ્લામાં પાર્શ્વનાથના ધાબાબંધી જિનાલયનો ઉલ્લેખ છે. કુલ બાવીસ આરસપ્રતિમા તથા બાર ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં નવસારીમાં પટવાશેરીમાં ચિંતામણિ પાર્શ્વનાથના શિખરબંધી જિનાલયનો ઉલ્લેખ થયો છે. કુલ ત્રીસ આરસપ્રતિમા તથા અઢાર ધાતુપ્રતિમા હતી. વહીવટ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પેઢીના ટ્રસ્ટી છગનલાલ લલ્લુભાઈ હસ્તક હતો. જિનાલયની સ્થિતિ સાધારણ હતી. ગામમાં ૪૫૦ જૈન કુટુંબો વસતાં હતાં. બે ઉપાશ્રય, એક ધર્મશાળા, એક લાઈબ્રેરી તથા શ્રી ક્ષમાસાગર જ્ઞાનભંડાર હતો. | જિનાલયમાં કુલ છત્રીસ આરસપ્રતિમા છે જે પૈકી એક ચૌમુખજી છે. વૈશાખ સુદ સાતમને વર્ષગાંઠને દિને જમણવાર થાય છે. ધજાનો ચડાવો બોલાય છે. વહીવટ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન શ્વે. મૂ. સંઘના ટ્રસ્ટીઓ – શ્રી ગમનભાઈ ચુનીલાલ ઝવેરી, શ્રી મનુભાઈ ટી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy