________________
૨૫૮
સુરતનાં જિનાલયો ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૪૩માં પ્રગટ થયેલ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થ દર્શન ગ્રંથમાં આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ છે :
વિક્રમના ૧૩મા સૈકામાં થયેલા શ્રી જિનપતિસૂરિ રચિત તીર્થમાલામાં નવસારીનો ઉલ્લેખ નોંધપાત્ર છે. ૭૦૦ વર્ષ પૂર્વે નવસારી જૈનોનું મહત્ત્વનું યાત્રાસ્થાન હોવાના ગણનાપાત્ર સંકેતો આ ઉલ્લેખ પરથી પ્રાપ્ત થાય છે.
મહામંત્રી વસ્તુપાલના લઘુબંધુ તેજપાલ દક્ષિણ દેશમાં સોપારક તીર્થની યાત્રાએ સંચર્યા હતા. પૂર્વના પુરુષો તીર્થયાત્રાએ વિહરતા ત્યારે માર્ગસ્થિત અનેક ગામોને મનોહર જિન પ્રાસાદોથી ભૂષિત કરતા, જીર્ણ જિનાલયનો ઉદ્ધાર કરતા, અનેક સંઘોને સધ્ધર કરતા. પૂર્વના પુરુષોની એ ગૌરવવંતી પ્રણાલિકાએ અનેક ભવ્ય જિનપ્રાસાદોનો આપણને અણમોલ વારસો પ્રદાન કર્યો છે. સોપારકના આદેશ્વર પ્રભુને ભેટી પાછા ફરતા આ તેજપાલ શ્રેષ્ઠી નવસારી પહોંચ્યા. અહીં ભવ્ય બાવન દેવકુલિકાઓથી વિભૂષિત એક મનોહર જિનાલયનું નિર્માણ કરાવ્યું. જિનાલયમાં ૨૩માં તીર્થકર શ્રી પાર્શ્વનાથજીને બિરાજમાન કરવામાં આવ્યા.
શ્રી જિનહર્ષગણિરચિત વસ્તુપાલ ચરિત્ર પ્રસ્તાવ ૭, શ્લોક ૨૧૭માં નવસારીના પાર્શ્વનાથ વિશે નીચે મુજબની નોંધ મળે છે :
नवसारी पूरे पुण्यं, पार्श्वधाम नवं व्यधात् ।
સ દિપગ્નીશતા નૈન નીwitવરાનિતમ્ | ર૧૭ || આ તેજપાલ નિર્મિત પ્રાસાદ તો કાળક્રમે મુસ્લિમોનાં આક્રમણોથી મસ્જિદમાં રૂપાંતરિત થઈ ગયાનું કહેવાય છે. પણ તેમના હાથે પ્રતિષ્ઠિત શ્રી પાર્શ્વનાથની પ્રતિમા તો તે જ હોવાનું અનુમાન છે. આ જિનાલયના પણ અનેક વાર જીર્ણોદ્ધાર થતાં રહ્યાં છે.
નવસારીમંડન પાર્શ્વનાથ તરીકે પણ ઓળખાતા આ પાર્શ્વનાથ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના નામથી વધુ પ્રસિદ્ધ છે. પ્રતિમા સંપ્રતિ કાળ કે એથી પણ વધુ પ્રાચીન છે.
આ નવસારી પાર્શ્વનાથની ઉત્પત્તિને સૂચવતી એક કિંવદન્તી પ્રબન્ધ પચ્ચશતી નામના ગ્રંથમાં શ્રી શુભશીલગણિએ ટાંકી છે.
નવસારીના એક શ્રાવકને સ્વપ્નમાં આવીને અધિષ્ઠાયક દેવે કહ્યું, ‘પુણ્યવાન જાગ, તારા ભાગ્યનો સૂર્ય ઉદિત થઈ રહ્યો છે. ભૂમિમાં ગુપ્ત પ્રતિમા પ્રગટ થવા ઝંખી રહી છે. તું જમીન ખોદીને પરમાત્માને પ્રગટ કર.'
શુભ સ્વપ્નનાં દર્શને આનંદવિભોર બનેલો શ્રાવક પ્રભાત થતાં જ સ્વપ્નસૂચિત સ્થળે પહોંચ્યો. તે ભૂમિનું ખનન કરતાં જ ભૂખરા વર્ણના નયનરમ્ય મનોહર જિનબિંબને નિહાળી તે હર્ષાન્વિત બન્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org