SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો ૨૫૧ ઉપર શિખરમાં ૧૧” ઊંચી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. ડાબી બાજુ શાંતિનાથ તથા જમણી બાજુ આદેશ્વર છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા અજિતનાથની એક ધાતુપ્રતિમા છે. નડોદ ગામનું શ્રી અજિતનાથનું ઘરદેરાસર અહીં પધરાવેલું છે. તે અંગનો એક લેખ છે જે નીચે મુજબ છે : “સંવત ૨૦૦૮ ચૈત્ર સુદ ૧ના થયેલા ઠરાવ મુજબ નડોદ જૈન સંઘની તમામ મૂડી સંપત્તિ શ્રી મરોલી બજાર જૈન સંઘને અર્પણ કરેલ છે. તા. ૨૬-૩-પર.” - ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં મરોલી બજાર સ્ટેશન પર શ્રી સુમતિનાથનું ઘરદેરાસર હોવાની નોંધ છે. ગામમાં તે સમયે ૧૫૦ જૈન કુટુંબો વસતાં હતાં તથા સાગરાનંદ લાઇબ્રેરી હતી. ઘરદેરાસરમાં કુલ એક આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા હતી. સં. ૧૯૮૯માં શ્રી સંઘે ઘરદેરાસર બંધાવ્યું હતું. વહીવટ શેઠ મોતીભાઈ કસ્તુરચંદ નહાર હસ્તક હતો. સ્થિતિ સાધારણ હતી. ઉપરાંત સં. ૨૦૧૦માં મરોલીથી ૨ માઈલ દૂર નડોદ ગામમાં અજિતનાથનું ઘરદેરાસર હોવાની નોંધ મળે છે. તે સમયે નડોદ ગામમાં ૩૦ જૈન કુટુંબો વસતાં હતાં. ઘરદેરાસરમાં કુલ બે ધાતુપ્રતિમા હતી. સં. ૧૯૭૨માં શ્રી સંઘે બંધાવ્યું હતું અને વહીવટ શેઠ ચુનીલાલ પાનાચંદ મરોલીવાળા હસ્તક હતો. ઘરદેરાસરની સ્થિતિ સાધારણ હતી. સં. ૨૦૧૦માં નડોદ ગામમાં અજિતનાથના ઘરદેરાસરનો ઉલ્લેખ થયો છે. એટલે કે સંત ૨૦૧૦ પછી ઉપર્યુક્ત ઘરદેરાસર સુમતિનાથના આ જિનાલયમાં પધરાવવામાં આવ્યું છે. સં. ૧૯૮૯માં સુમતિનાથનું ઘરદેરાસર બંધાયું હોવાની નોંધ સં. ૨૦૧૦માં થયેલ છે. ત્યારબાદ સં. ૨૦૨૦માં શિખરબંધી જિનાલય બન્યું. હાલ જિનાલયની વર્ષગાંઠ – વૈશાખ સુદ પૂનમના દિને જમણવાર થાય છે અને ધજાનો ચડાવો બોલાય છે. સ્થિતિ સારી છે. જિનાલયમાં કુલ છ આરસપ્રતિમા તથા દસ ધાતુપ્રતિમા છે. વહીવટ શ્રી મરોલી બજાર જૈન શ્વે, મૂક સંઘના ટ્રસ્ટીઓ – શ્રી રણજીતભાઈ મગનલાલ શાહ, શ્રી ભીખુભાઈ ચુનીલાલ શાહ તથા શ્રી તુલસીદાસ કપૂરચંદ શાહ હસ્તક છે. ટૂંકમાં સુમતિનાથના આ જિનાલયનો સમય સં. ૧૯૮૯નો છે. ગામ - સાતમ, તાલુકો - નવસારી ૩. શ્રી શીતલનાથ (સં. ૨૦૩૨) નવસારીથી ૨૨ કિ. મી.ના અંતરે સાતેમ ગામ આવેલું છે. ગામમાં હાલ ૧૬ જૈન કુટુંબો વસે છે. છેલ્લાં ૫૦ વર્ષમાં ગામમાં બે વ્યક્તિઓએ દીક્ષા લીધેલ છે. અહીં દેરાસર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy