________________
૨૫)
સુરતનાં જિનાલયો ગામ - મરોલી, તાલુકો - નવસારી
૨. શ્રી સુમતિનાથ (સં. ૧૯૮૯) નવસારીથી ૧૦ કિ. મી. દૂર, નવસારી સુરત જવાના રસ્તે વાયા સચીન થઈને જતાં મરોલી ગામ આવે છે. અહીં રેલવે સ્ટેશન છે. હાલ ગામમાં ૪૫ જૈન કુટુંબો છે. છેલ્લાં ૫૦ વર્ષમાં ગામમાં છ વ્યક્તિઓએ દીક્ષા લીધેલ છે. શ્રાવક-શ્રાવિકાનો ઉપાશ્રય છે. પાઠશાળામાં ૩૦ બાળકો ધાર્મિક અભ્યાસ કરે છે. મેઇન રોડ બજારમાં સાદા પથ્થર તથા આરસનું બનેલું શ્રી સુમતિનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે.
સ્થાનિક માહિતી પ્રમાણે પૂર્વે અહીં ઘરદેરાસર હતું. સં. ૨૦૨૦માં શિખરબંધી જિનાલય બન્યું. તે સમયે શ્રી આનંદસાગરસૂરિની નિશ્રામાં શાહ ચીમનલાલ નાનચંદ પરિવાર દ્વારા પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જિનાલયમાં આ અંગેનો એક લેખ છે જે નીચે મુજબ છે :
શ્રી સુમતિનાથાય નમો નમ: સંવત ૨૦૨૦ વૈશાખ શુક્લા ત્રયોદશી રવિવાર તા. ૨૪-૫-૬૪ પ્રાતકાલે ક૮.૫૬ શુભ લગ્ન મૂળનાયક શ્રી સુમતિનાથ તથા શ્રી વાસુપૂજયસ્વામી તથા શ્રી પાર્શ્વનાથ ભગવંતનાં બિંબોની પ્રતિષ્ઠા આગમોદ્ધારક આચાર્યમહારાજ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સા.ના શિષ્ય આ મ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી તથા મુની શ્રી સમરેન્દ્રસાગરજી તથા શ્રી મનોજ્ઞસાગરજી આદિના શુભ હસ્તે કરાવી છે.
પ. પૂ. પંશ્રી લબ્ધિસાગરજી મ. સા.ની પ્રેરણાથી આ જિનાલયની શરૂઆત થઈ હતી. ખાતમુહૂર્ત : સં. ૨૦૦૯ ફા. સુદ ૧૦ તા. ૨૩-૫-૫૩ શિલારોપણ : સં. ૨૦૦૯ શ્રા સુદ ૧૦ તા. ૨૦-૮-૫૩ પ્રવેશમુહૂર્ત : સં૨૦૧૩ના મહા સુદ ૬ તા. ૬-૨-૫૭
ત્યારબાદ સં. ૨૦૪૧માં માગશર સુદ ૧૫ને શનિવારે તા. ૮-૧૨-૮૪ને સવારે ૮.૧૫ કલાકે આ. શ્રી પ્રબોધચંદ્રસૂરિની નિશ્રામાં શાહ ભીખાભાઈ મોભાજીના પુત્રો મગનલાલ, છોટાલાલ, મોહનલાલ, કાંતિલાલ આદિ પરિવારે પુનઃ પ્રતિષ્ઠા કરેલ છે. આ અંગેનો લેખ પણ જિનાલયમાં છે.
રંગમંડપમાં અષ્ટાપદ, આબુ, રાણકપુર, તારંગા, પાવાપુરી, સમેતશિખર, ચંપાપુરી, નવપદજી, શત્રુંજય, નંદીશ્વર દ્વીપ, ગિરનાર, રાજગીરી પંચ પહાડ તથા પંચમકાલ કે ભવિષ્ય કા દર્શન – જેવા પટ પ્રસંગો છે. ઘુમ્મટમાં ચૌદ સ્વપ્નો તથા અભિષેકનું ચિત્રકામ છે.
ગભારામાં ૧૫” ઊંચી મૂળનાયક શ્રી સુમતિનાથની આરસપ્રતિમા મધ્યે બિરાજે છે. ડાબી બાજુ વાસુપૂજયસ્વામી તથા જમણી બાજુ પાર્શ્વનાથ છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા નવા ધાતુપ્રતિમા છે. સ્થાનિક માહિતી પ્રમાણે મૂળનાયક પ્રતિમા કઠોર ગામથી લાવેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org