________________
ગામ - અષ્ટગામ, તાલુકો - નવસારી
૧. શ્રી આદેશ્વર (સં. ૧૯૭૧) નવસારીથી ૧૦ કિ. મી.ના અંતરે આવેલ અષ્ટગામમાં હાલ ૫ જૈન કુટુંબો વસે છે. અહીં ઉતારા ફળિયામાં આરસનું બનેલું શ્રી આદેશ્વરનું શિખરબંધી જિનાલય આવેલું છે. બાજુમાં ભક્તિભુવન તથા ઉપાશ્રય છે.
- જિનાલયની પુનઃ પ્રતિષ્ઠા સં૨૦૪૯માં માગશર વદ ચોથને તા. ૧૩-૧૩-૯૨ના દિને આ. શ્રી ચંદ્રોદયસૂરિ તથા આ. શ્રી અશોકચંદ્રસૂરિની નિશ્રામાં થયેલ છે. - ૨” ઊંચી મૂળનાયક શ્રી આદેશ્વરની પંચતીર્થી ધાતુપ્રતિમા સહિત કુલ ચાર ધાતુપ્રતિમા છે. શત્રુંજયનો પટ છે.
ઐતિહાસિક સંદર્ભ સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં નવસારીથી ૮ માઈલના અંતરે આવેલા અષ્ટગામમાં ૭૫ જૈન કુટુંબો રહેતા હોવાની તથા ગામમાં આદેશ્વરનું ઘરદેરાસર હોવાની નોંધ છે. સં. ૧૯૭૧માં શ્રી સંઘે ઘરદેરાસર બંધાવ્યું હતું. વહીવટ ભગવાનજી હીરાજી હસ્તક હતો તથા સ્થિતિ સારી હતી.
' હાલ માગશર વદ ચોથની વર્ષગાંઠના દિને જમણવાર થાય છે તથા ધજાનો ચડાવો બોલાય છે. અંદર તથા ઉપર એમ બે ધજા ચડે છે. વહીવટ શ્રી અષ્ટગામ જૈન શ્વે. મૂ. પૂ. સંઘના ટ્રસ્ટીઓ – શ્રી અશોકભાઈ મગનલાલ શાહ, શ્રી રમણભાઈ શાહ, શ્રી કાંતિલાલ રાયચંદ શાહ તથા શ્રી રમેશચંદ્ર મગનલાલ શાહ હસ્તક છે.
સં. ૧૯૭૧માં ઘરદેરાસર બંધાયું હોવાની નોંધ સં. ૨૦૧૦માં થયેલ છે. હાલ શિખરબંધી જિનાલય છે. એટલે કે જીર્ણોદ્ધાર સં. ૨૦૪૯માં થયો છે તે સમયે શિખરબંધી જિનાલયમાં પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી છે.
ટૂંકમાં જિનાલયનો સમય સં. ૧૯૭૧નો છે.
0
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org