SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ સુરતનાં જિનાલયો શાહ ભગુભાઈ ગોવિંદજી પરિવાર દ્વારા નવા શિખરબંધી જિનાલયમાં પ્રતિષ્ઠા કરવામાં આવી છે. કંપાઉંડની બહાર પાણીની પરબ છે. પ્રવેશતાં ઉપાશ્રય અને તેની ઉપર જિનાલય છે. અહીં એક રૂમમાં ઘંટાકર્ણવીર, માણિભદ્રવીર તથા નાકોડાભૈરવના ગોખ છે. તેની સામે અગાશી છે. આગળ જતાં પશ્ચિમાભિમુખ જિનાલયમાં પ્રવેશવાનો દ્વાર છે. રંગમંડપમાં ઓશિયાદેવી, લક્ષ્મીદેવી તથા અંબિકાદેવીની આરસમૂર્તિઓના ગોખ છે. નાગેશ્વર પાર્શ્વનાથ, ભોપાવર તીર્થાધિનાયક શાંતિનાથ, આબુ, ગિરનાર, સમેતશિખર, શત્રુંજય, સૂરિમંત્ર, ૧૬ મહાસતીઓ, હૂકાર આદિ ચિત્રિત કરેલ તથા પથ્થરમાં ઉપસાવી રંગકામ કરેલ પટ છે. જમણી-ડાબી બાજુ ગોખમાં ગૌતમસ્વામી તથા પદ્માવતીદેવીની આરસમૂર્તિ છે. ઘુમ્મટમાં વાસુપૂજ્ય સ્વામીના ત્રણ ભવનું ચિત્રાંકન છે. ગર્ભગૃહની દીવાલે પાર્શ્વનાથ ચરિત્રનું ચિત્રાંકન છે. ગર્ભદ્વાર પાસે જમણી બાજુ આદેશ્વર અને ડાબી બાજુ શીતલનાથની આરસપ્રતિમાના ગોખ છે. ગભારામાં ૧૧” ઊંચી મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમાની પાછળની દીવાલે અશોકવૃક્ષની રચના છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા છે. મૂળનાયકની ડાબીબાજુ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તથા જમણી બાજુ શ્રી જીરાવલા પાર્શ્વનાથ છે. મહા સુદ તેરશના દિને જમણવાર થાય છે. ધજા ચડતી નથી. વહીવટ શ્રી આદેશ્વર જૈન દેરાસર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ – શ્રી નરેન્દ્રકુમાર સાકળચંદ શાહ, શ્રી ભરતભાઈ સાકળચંદ શાહ, શ્રી બિપીનભાઈ હીરાચંદ શાહ તથા શ્રી અરવિંદભાઈ ભગુભાઈ શાહ હસ્તક છે. મોટામિયાં માંગરોળ ૪૪. શ્રી શાંતિનાથ (ઘરદેરાસર) (સં. ૧૯૯૫ આસપાસ) માંગરોલ સ્ટેશન રોડ પર રાજાવાલા ફેમીલીનું શ્રી વજેચંદ રાજાજી પરિવારનું શ્રી શાંતિનાથનું ઘરદેરાસર આવેલું છે. સ્ટેશન રોડ પર હાલ ૧૫ જૈન કુટુંબો છે. અહીં શ્રાવકશ્રાવિકાનો એક ઉપાશ્રય છે. ૩" ઊંચી મૂળનાયક શ્રી શાંતિનાથની માત્ર એક જ પંચતીર્થી ધાતુપ્રતિમા છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં મોટામીયાં માંગરોળમાં સ્ટેશન રોડ પર શેઠ હરજીભાઈ રાજાજીનું શ્રી શાંતિનાથનું ઘરદેરાસર ત્રીજે માળ હોવાની નોંધ છે. સં. ૧૯૯૫માં આ ઘરદેરાસર બંધાયું હતું. તે સમયે માત્ર એક ધાતુપ્રતિમા હતી. વહીવટ શેઠ હરજીભાઈ રાજાજીની પેઢી હસ્તક હતો. મકાનની સ્થિતિ સારી હતી. મૂળનાયક પ્રતિમા પર સં૧૫પરનો લેખ હતો. જેઠ સુદ ત્રીજના રોજ વર્ષગાંઠ છે. વહીવટ શ્રી વજેચંદના સુપુત્રો – શ્રી વિનોદભાઈ, શ્રી અશોકભાઈ તથા શ્રી જયંતિભાઈ હસ્તક છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy