________________
સુરતનાં જિનાલયો
૨૪૩
તેઓએ જ કોસંબાથી ઉમરપાડા જતી મીની ટ્રેન શરૂ કરી હતી જે માંગરોલ-વાંકલ સ્ટેશનથી પસાર થતી. હાલ ટ્રેન બંધ છે જે ભવિષ્યમાં ચાલુ થશે. ૧૦ વર્ષ પૂર્વે વાંકલ વેપારનું કેન્દ્ર હતું. જાહોજલાલી ઘણી હતી. કાળક્રમે તૂટતું ગયું. ૯૫% આદિવાસી તથા પ% અન્ય વસતી ધરાવતા ગામમાં દર ગુરુવારે હાટ ભરાય છે. ગામમાં હાલ એક જિનાલય, શ્રાવક-શ્રાવિકાનો ઉપાશ્રય તથા જ્ઞાનભંડાર છે. કુલ ૧૦ જૈન કુટુંબો છે.
મેઇન બજારમાં સાદા પથ્થર તથા આરસનું બનેલું શ્રી ચંદ્રપ્રભુસ્વામી નાનું પણ સુંદર, શિખરબંધી જિનાલય આવેલું છે. જિનાલય પૂર્વાભિમુખ છે. હાલ જિનાલયની સ્થિતિ સારી છે.
પ્રવેશતાં બે બાજુ રૂમ છે. મુખ્ય એક પ્રવેશદ્વારની ઉપર લક્ષ્મી અને આજુબાજુ હાથીનાં શિલ્પો છે. રંગમંડપમાં અન્ય બે દ્વાર છે. રંગમંડપમાં શત્રુંજય, ગિરનાર, સમેતશિખર, શંખેશ્વર પાર્શ્વનાથ તથા અષ્ટાપદ જેવા તીર્થપટ છે. કૌલીમંડપમાં સામ-સામે બે ગોખમાં પાર્શ્વનાથની બે આરસપ્રતિમા છે. તેની ઉપરની દીવાલે કમઠનો ઉપસર્ગ તથા પાવાપુરી જલમંદિરનું ચિત્રાંકન છે.
ગર્ભદ્વાર એક છે. ૨૧” ઊંચી શ્રી ચંદ્રપ્રભુસ્વામીની પ્રતિમા પર સં. ૨૦૧૮નો લેખ છે. કુલ પાંચ આરસપ્રતિમા તથા એક ધાતુપ્રતિમા છે. પુનઃ પ્રતિષ્ઠા સં. ૨૦૩૨માં થયેલ છે.
વર્ષગાંઠ તિથિ – ફાગણ સુદ બીજ, ભાદરવા સુદ પાંચમ તથા મહાવીર જયંતિના દિવસે જમણવાર થાય છે. ધજાનો ચડાવો બોલાય છે. વહીવટ શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘવાંકલના ટ્રસ્ટીઓ – શ્રી બિપીનભાઈ ત્રિભોવનદાસ શાહ, શ્રી પ્રવીણભાઈ લીલાચંદ શાહ, શ્રી અમૃતલાલ ભાદરમલ શાહ હસ્તક છે.
ગામ - મોટામિયા માંગરોલ, તાલુકો - માંગરોલ
. ૪૩. શ્રી વાસુપૂજ્ય સ્વામી (સં. ૨૦૪૫) કોસંબા રેલવે સ્ટેશનથી ૨૫ કિમી.ના અંતરે આવેલ મોટામિયા માંગરોલ ગામ માંગરોલ તાલુકામાં છે જે સયાજીરાવ ગાયકવાડાના સમયમાં ઉમરપાડા રેલ્વેલાઈનનું સ્ટેશન હતું. હાલ તે બંધ છે. થોડા સમયમાં રેલવેલાઈન ફરી શરૂ થવાની છે. ગામમાં મુખ્યત્વે મુસ્લિમ, હિન્દુ કોળી પટેલ તથા આદિવાસીની વસ્તી છે. હાલ સ્ટેશન રોડ પર ૧૫ તથા ગામમાં ૧૫ મળીને કુલ ૩૦ જૈન કુટુંબો વસે છે. સ્ટેશન રોડ પર ૧. શ્રી વાસુપૂજયસ્વામી તથા ૨. શ્રી શાંતિનાથ (રાજા પરિવારનું ઘરદેરાસર) અને ગામમાં ૩. શ્રી શાંતિનાથ – એમ ત્રણ જિનાલયો છે. શ્રાવકોના બે તથા શ્રાવિકાના બે ઉપાશ્રયો છે. ગામમાં ઉપાશ્રયમાં પાઠશાળા ચાલે છે. છેલ્લાં ૫૦ વર્ષમાં છ વ્યક્તિઓએ દીક્ષા લીધેલ છે.
આ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ. સા.ના ઉપદેશથી ચેમ્બરથી પ્રતિમા લાવી સ્ટેશન રોડ પર ઘરદેરાસર જેવી રચના કરી પધરાવેલ તે પછી ટૂંક સમયમાં જ સં૨૦૪પમાં મહા સુદ દશમ તા. ૧૫-૨-૮૯ના રોજ આ શ્રી કુમુદચંદ્રસૂરીશ્વર મસા.ની નિશ્રામાં વીતરાગ સમકિત ટ્રસ્ટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org