SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો ૨૪૧ દેરીમાં આરસનાં પગલાંની કુલ બે જોડ છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં મઢી સ્ટેશનથી ૧૨ માઈલ દૂર બારડોલી તાલુકાના બુહારી ગામમાં બજાર વચ્ચે શ્રી વાસુપૂજયસ્વામીના શિખરબંધી જિનાલયની નોંધ છે. કુલ સોળ આરસપ્રતિમા તથા પાંચ ધાતુપ્રતિમા હતી. સં. ૧૯૫૭માં જિનાલય બંધાયું હતું. સં. ૧૯૬૩માં દેરાસર અપૂર્ણ સ્થિતિમાં હતું એટલે કે બાંધકામ ચાલુ હતું. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં મઢીથી ૧૬ માઈલ દૂર બુહારી ગામમાં બજારમાં શ્રી વાસુપૂજ્યસ્વામીના શિખરબંધી જિનાલયની નોંધ છે. કુલ વીસ આરસપ્રતિમા, બે ધાતુપ્રતિમા તથા ચાર રજત ચોવીસીજિનપટ હતા. જિનાલય સં. ૧૯૬૨માં બંધાયું હોવાની તથા લેખ સં. ૧૮૫૭ હોવાની નોંધ હતી. વહીવટ શેઠ છગનલાલ મૂળચંદ હસ્તક હતો. ગામમાં ૪૦૦ જૈનો, બે ઉપાશ્રય તથા એક પુસ્તકાલય હતું. સં. ૨૦૧૩માં જૈન ધર્મનાં યાત્રાસ્થળો બુહારી ગામ તથા જિનાલય વિશે નીચે મુજબ નોંધ મળે છે : “સુરતથી અગર દ્વારા સ્ટેશનથી મહુવા જતી બસ સર્વિસ દ્વારા આ ગામ આવી શકાય છે. શ્રી વાસુપૂજ્ય સ્વામીનું રમણિય દેવાલય છે. ઉપર તેમજ ભોંયરામાં જિનબિંબ છે. સામે ઉપાશ્રય છે.” જિનાલયમાં કુલ અઠ્ઠાવીસ આરસપ્રતિમા, પંદર ધાતુપ્રતિમા તથા આરસનાં પગલાંની બે જોડ છે. માગશર સુદ ૧૧ની વર્ષગાંઠના દિવસે જમણવાર થાય છે. સ્થાનિક માહિતી પ્રમાણે શિખર ઘણું ઊંચું હોવાથી ધજા માટે ચડાવો બોલાતો નથી. જે શિખર પર ચઢી શકે તેમ હોય તે જ ધજા ચડાવે છે. વહીવટ શ્રી જે. મૂ. પૂ. જૈન સંઘ-બુહારીના ટ્રસ્ટીઓ – શ્રી સુબોધકુમાર રજનીકાન્ત શાહ, શ્રી નિરંજનભાઈ રતીલાલ શાહ તથા શ્રી વિજયભાઈ મૂળચંદ શાહ હસ્તક છે. જિનાલયનો સમય સં. ૧૯૬૨નો છે. ગામ - બુહારી, તાલુકો - વાલોડ ૩૯. શ્રી ધર્મનાથ (ઘર દેરાસર) (સં. ૨૦૫૦) બુહારી ગામે ગુજરાતી સ્કૂલની સામે શ્રી જગુભાઈ મનુભાઈ શાહ પરિવારનું શ્રી ધર્મનાથનું ઘરદેરાસર આવેલું છે. - ૧૯” ઊંચી મૂળનાયક શ્રી ધર્મનાથની પરિકરયુક્ત પ્રતિમાની પ્રતિષ્ઠા સં. ૨૦૫૦માં વૈશાખ સુદ ચોથના દિવસે આ. શ્રી ભુવનભાનુસૂરિની પરંપરાના શ્રી જયચંદ્રવિજયજી મ. સા.ની નિશ્રામાં થયેલ છે. મૂળનાયક પર તે મુજબનો લેખ છે. અન્ય એક ધાતુપ્રતિમા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy