________________
૨૪૦
ગામ - બુહારી, તાલુકો - વાલોડ ૮ ૩૮. શ્રી વાસુપૂજ્યસ્વામી (સં. ૧૯૬૨)
સુરત શહેરથી ૬૦-૬૫ કિ. મી.ના અંતરે તથા વાલોડ તાલુકાથી ૧૦ કિ મીના અંતરે આવેલ બુહારી ગામમાં ત્રણ શિખરવાળું શ્રી વાસુપૂજ્યસ્વામીનું દક્ષિણાભિમુખ પ્રાચીન જિનાલય આવેલું છે. ઉપરાંત શ્રી દીપકભાઈ બાલુભાઈ શાહ પરિવારનું શ્રી શાંતિનાથનું ઘરદેરાસર (વાણિયાવાડ) તથા શ્રી જગુભાઈ મનુભાઈ શાહ પરિવારનું શ્રી ધર્મનાથનું ઘરદેરાસર (ગુજરાતી સ્કૂલની સામે) – એમ બે ઘરદેરાસર આવેલા છે. ઉપાશ્રયમાં જ પાઠશાળા ચાલે છે. જ્ઞાનભંડાર છે. પ૬ જૈન કુટુંબો હાલ ગામમાં વસે છે. છેલ્લાં ૫૦ વર્ષમાં ૧૧ વ્યક્તિઓએ દીક્ષા લીધેલ છે.
સુરતનાં જિનાલયો
જમીનથી ૧૧ ફૂટ ઊંચું જિનાલયનું નિર્માણ કરેલું છે. ત્રણ પગથિયાં ચડતાં સુંદર નકશીવાળું પ્રવેશદ્વાર નજરે ચડે છે. તેની ઉપર સરસ્વતીદેવી તથા આજુબાજુ પરીઓનાં શિલ્પોનું રંગકામ કરેલા છે. પ્રવેશદ્વારના સ્થંભો પર બે બાજુ ચોકીદારનાં શિલ્પો છે. કંપાઉંડમાં પેઢીની ઑફિસ છે. પ્રતિષ્ઠાની આમંત્રણ પત્રિકામાં જિનાલયની પ્રતિષ્ઠા અંગે નીચે મુજબ નોંધ છે ઃ શ્રીમન મુની માહારાજજી શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી મોહનલાલજી મહારાજજી સાહેબજીની આજ્ઞાનુશારે અત્રે અગાઉ પધારેલ મરહુમ શ્રી મનમુની મહારાજજી શ્રી ૧૦૦૮ શ્રી પ્રતાપ મુનીજી મહારાજજી શાહેબનાં દુપદેશથ્રતથી અત્રે શ્રી બારમા જીનરાજશ્રી વાશુપુજય સ્વામીજી ભગવાનનુ નવીન વીશાલ શીખરબંધ ચઇત્ય કરાવવામાં આવેલ છે તે શ્રી જીનભુવનની પ્રતીસ્ટાનું શુભ મુહુરત વિક્રમાર્ક સંવત ૧૯૬૨નાં માગશર શુદ ૧૧ ગુરુવાર તારીખ ૭ માહે ડીશેમબર શને ૧૯૦૫ દીને નીરધારેલ છે તે દીવશે શ્રી ભગવાનને ગાદીએ બીરાજમાન કરવામાં આવશે.’
શૃંગારચોકીમાં ડાબી બાજુ માણિભદ્રવીરનું સ્થાનક છે જેની પ્રતિષ્ઠા સં. ૧૯૯૨માં તથા પુનઃ પ્રતિષ્ઠા સં. ૨૦૪૨માં થયેલ છે. પુનઃ પ્રતિષ્ઠા સમયે નવી મૂર્તિ પધરાવેલ છે.
કુલ ત્રણ પ્રવેશદ્વાર છે. રંગમંડપમાં દીવાલો પર સમેતશિખર, સમવસરણ, અષ્ટાપદ, શત્રુંજય, આબુ, ચંપાપુરી, ગિરનાર, પાવાપુરી, રાજગૃહી જેવા તીર્થપટ તથા શ્રી શાંતિનાથનો ભવ, શ્રી નેમનાથની જાન, શ્રી પાર્શ્વનાથના ઉપસર્ગો, શ્રીપાલ રાજા અને મયણાસુંદરીના પ્રસંગો, શ્રેણિકરાજા, ગૌતમસ્વામી વગેરેના જીવનપ્રસંગોનું સુંદર ચિત્રાંકન તથા કાચકામ છે. યક્ષ-યક્ષિણીની આરસમૂર્તિ છે.
ત્રણ ગર્ભદ્વાર છે. ૧૫” ઊંચી શ્રી વાસુપૂજ્યસ્વામીની પ્રતિમા ૫૨ સં ૧૮૫૭નો લેખ છે. કુલ ઓગણીસ આરસપ્રતિમા તથા તેર ધાતુપ્રતિમા છે.
ભોંયરામાં ૨૧” ઊંચી શ્રી આદેશ્વરની પ્રતિમા સહિત કુલ પાંચ આરસપ્રતિમા છે. મૂળનાયક પ્રતિમાનું પરિકર નવું ભરાવેલું છે. જીર્ણોદ્ધારની જરૂર છે.
શિખરમાં નાના ગભારામાં ચાર આરસપ્રતિમા તથા બે ધાતુપ્રતિમા છે. આજુબાજુ બે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org