________________
સુરતનાં જિનાલયો
૨૩૯
ગોખમાં પદ્માવતીદેવીની છે તેના પર અન્ય ત્રણ મૂર્તિ છે. ગામના વયોવૃદ્ધ આગેવાન શ્રી નગીનભાઈ ડાહ્યાભાઈ ઉર્ફે ભૂરાકાકાના કહેવા મુજબ આ ત્રણેય પ્રતિમામાં વચ્ચે શ્રી પાર્શ્વનાથ, જમણી બાજુ શ્રી મહાવીરસ્વામી અને ડાબી બાજુ ગૌતમસ્વામીની મૂર્તિ છે.
૧૫” ઊંચી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પર સં ૧૮૪૫ શાકે ૧૭૧૦માં શ્રી જિનેન્દ્રસૂરિ મ. સા દ્વારા પ્રતિષ્ઠા થયાનો લેખ છે. કુલ સાત આરસપ્રતિમા તથા છ ધાતુપ્રતિમા છે.
જિનાલયમાં ભોંયરું છે પણ હાલ બંધ છે. ભૂરાકાકાના જણાવ્યા અનુસાર બે મૂર્તિઓ ખંડિત થઈ હોવાથી તે તાપી નદીમાં પધરાવેલ છે.
શિખરમાં મૂળનાયક શ્રી સંભવનાથની ૨૧” ઊંચી માત્ર એક ધાતુપ્રતિમા છે. તેના પર સં. ૧૯૨૨ શાકે ૧૭૮૧ વાંચી શકાય છે.
જિનાલયની બાજુમાં ઉપાશ્રયના જીર્ણોદ્ધારનું કાર્ય હાલ ચાલે છે. સ્થાનિક માહિતી પ્રમાણે ફકીરચંદ ભીખાભાઈની વિધવા બાઈ જીવકોરે જિનાલય બંધાવી સંઘને અર્પણ કરેલ છે. ઐતિહાસિક સંદર્ભ
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં બારડોલી તાલુકમાં મઢી સ્ટેશનથી ૫ ગાઉના અંતરે વાલોદ ગામમાં બજાર વચ્ચે શ્રી પાર્શ્વનાથના શિખરબંધી જિનાલયનો ઉલ્લેખ છે. કુલ ચૌદ આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા હતી. સં. ૧૯૧૫માં જિનાલય બંધાયું હતું. સ્થિતિ સારી હતી.
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં મઢીથી ૯ માઈલ દૂર વાલોડ ગામમાં બજારમાં શ્રી પાર્શ્વનાથનું શિખરબંધી જિનાલય સં. ૧૯૧૨માં બંધાયાની નોંધ છે. કુલ બાર આરસપ્રતિમા, તેર ધાતુપ્રતિમા તથા એક રજત ચોવીસી જિનપટ હતો. સ્થિતિ સારી હતી. વહીવટ શેઠ ઘેલાભાઈ માણેકચંદ હસ્તક હતો. ગામમાં એક લાઇબ્રેરી, બે ઉપાશ્રય તથા ૫૦ જૈનો હતા. સં ૨૦૧૩માં જૈન ધર્મનાં યાત્રાસ્થળો ગ્રંથમાં વાલોડ ગામ તથા જિનાલય વિશે નીચે મુજબની નોંધ છે :
ટીવી રેલવેમાં આ ગામ આવેલ છે. જ્યાં બારડોલી વ્યારા આદિથી બસ સર્વિસ છે. શ્રી પાર્શ્વનાથનું મનોહર દેરાસર છે.’
મહા સુદ તેરશની વર્ષગાંઠના દિને જમણવાર થાય છે. ધજા ચડે છે. વહીવટ શ્રી વાલોડ શ્વે. મૂ. પૂ. જૈન સંઘના ટ્રસ્ટીઓ શ્રી નગીનચંદ ડાહ્યાભાઈ શાહ, શ્રી ચંદ્રકાન્તભાઈ વજેચંદ શાહ, શ્રી જ્યોતિષચંદ્ર ઘેલાભાઈ શાહ, શ્રી ભરતભાઈ પ્રેમચંદ શાહ તથા શ્રી અવનેશભાઈ કાંતિલાલ શાહ હસ્તક છે.
સં ૨૦૧૦માં જણાવ્યા અનુસાર જિનાલયનો સમય સં. ૧૯૧૨નો છે.
Jain Education International
-
For Personal & Private Use Only
www.jainelibrary.org