________________
સુરતનાં જિનાલયો
૨૩૫
જિનાલયની જમણી બાજુ પૂશ્વર મહાદેવનું મંદિર તથા ડાબી બાજુ પૂજારી-પંડિતનું નિવાસસ્થાન છે. કંપાઉંડમાં ડાબી બાજુ ગુરુમંદિર છે જેમાં શ્રી પ્રેમસૂરીશ્વર મસા.ની આરસની ગુરુમૂર્તિ સં૨૦૪૯ માગશર સુદ છઠને તા. ૩૦-૧૧-૯૨ના રોજ પ્રતિષ્ઠિત કરેલ છે.
કુલ ત્રણ પ્રવેશદ્વાર છે. રંગમંડપમાં સ્થંભો પર નારીશિલ્પો છે. જમણી બાજુ બે ગોખ પૈકી એક ગોખમાં ક્ષેત્રપાલ અને અન્યમાં માણિભદ્રવીર છે. માણિભદ્રવીરની રચના ઊંચી વધતી જાય છે. આબુ, અષ્ટાપદ, ચૌદ સ્વપ્નો, મેરુશિખર, સમવસરણ, પાવાપુરી, ગિરનાર, શત્રુંજય અને સમેતશિખરના કાચકામયુક્ત પટ-પ્રસંગોથી દીવાલો શોભે છે. સામ-સામે બે ગોખમાં યક્ષયક્ષિણીની આરસમૂર્તિ છે.
સમચોરસ ગભારામાં મૂળનાયક શ્રી અજિતનાથની ૧૯” ઊંચી પ્રતિમા સહિત કુલ એકવીસ આરસપ્રતિમા તથા ચૌદ ધાતુપ્રતિમા છે. એક રજત ચોવીસી પટ છે. ડાબે ગભારે શ્રી સંભવનાથ તથા જમણે ગભારે શ્રી ચંદ્રપ્રભુસ્વામી છે.
ભોંયરામાં ૨૫” ઊંચી શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમા સહિત કુલ સાત આરસપ્રતિમા છે. બે હાથી વચ્ચે કમલાકારમાં આરસની ચોવીસી ધ્યાનાકર્ષક છે. ગણેશાકારયક્ષની ત્રણ મૂર્તિઓ છે.
શિખરમાં મધ્યે આરસના ચૌમુખી છે. એક ગોખમાં આરસનાં પગલાંની એક જોડ છે. તેના પરનું લખાણ સુવાચ્ય નથી.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં મહુવા તાલુકાના વ્યારા ગામમાં કોટમાં બ્રાહ્મણવાડામાં શ્રી સંભવનાથના શિખરબંધી જિનાલયનો ઉલ્લેખ છે. તે સમયે કુલ છવ્વીસ આરસપ્રતિમા, પચાસ ધાતુપ્રતિમા તથા એક રત્નપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ જીર્ણ હતી.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં વ્યારા ગામમાં કોટમાં શ્રી અજિતનાથના શિખરબંધી પ્રાચીન જિનાલયનો ઉલ્લેખ છે. કુલ બત્રીસ આરસપ્રતિમા, તેર ધાતુપ્રતિમા, એક રત્નપ્રતિમા, એક રજત ચોવીસજિન પટ તથા આરસનો એક ચોવીસજિન પટ હતો. જિનાલયની સ્થિતિ સારી હતી. બે ઉપાશ્રય હતા અને ૪૦૦ જૈન કુટુંબો વસતાં હતાં.
સં. ૨૦૧૩માં જૈન ધર્મનાં તીર્થસ્થળો ગ્રંથમાં વ્યારા ગામ વિશે નીચે મુજબ નોંધ છે : | ‘ટાટીવેલી રેલવે સ્ટેશન છે. સ્ટેશન નજીક જૂના કિલ્લાના ઊંચા ભાગ ઉપર શ્રી અજિતનાથ પ્રભુનો શિખરબંધી પ્રાસાદ આવેલ છે. ઉપરના માળે ચૌમુખજી તેમજ ભૂમિગૃહમાં શ્રી વાસુપૂજ્યસ્વામી તથા સાત મોટાં બિંબો છે. બિલોરીકાચનું કામ દર્શનીય છે. દેવાલયના પાછળના ભાગમાં મોટું તળાવ છે. જૈનોની વસ્તી કાનપુરા નામા બજાર નજીકના લતામાં છે. ત્યાં ઉપાશ્રય છે.'
જિનાલયની સ્થિતિ સારી છે. વૈશાખ સુદ ૬ના રોજ જમણવાર થાય છે. શ્રી ભભૂતમલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org