SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ સુરતનાં જિનાલયો મૂલચંદ શાહ પરિવાર દ્વારા કાયમી ધજા ચડે છે. વહીવટ શ્રી વ્યારા જૈન શ્વે. મૂ. પૂ. સંઘના ટ્રસ્ટીઓ – શ્રી રમેશચંદ્ર નાથુભાઈ શાહ, શ્રી ગમનલાલ નાનચંદ શાહ તથા શ્રી પ્રફુલભાઈ માણેકચંદ શાહ હસ્તક છે. શત્રુંજયનો કાપડનો પટ છે. સં. ૧૯૬૩માં સંભવનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે અને તે સમયે જિનાલય જીર્ણ અવસ્થામાં હોવાનો ઉલ્લેખ છે. ત્યારબાદ સં. ૨૦૧૦માં શ્રી અજિતનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે. સં. ૧૯૬૩માં સંભવનાથના જિનાલયમાં એક રત્નપ્રતિમાનો ઉલ્લેખ છે અને સં ૨૦૧૦માં પણ અજિતનાથના જિનાલયમાં એક રત્નપ્રતિમાનો ઉલ્લેખ મળે છે. સં. ૧૯૬૩ થી સં. ૨૦૧૦ દરમ્યાન આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયો હશે અને તે સમયે પુનઃ પ્રતિષ્ઠા થઈ હશે અને મૂળનાયક તરીકે શ્રી અજિતનાથની પ્રતિમા પધરાવવામાં આવી હશે. અમારી માન્યતા પ્રમાણે જિનાલયનો સમય સં. ૧૯૬૩ પૂર્વેનો છે. ગામ - વ્યારા, તાલુકો - વ્યારા ૩૪. શ્રી મુનિસુવ્રતસ્વામી (સં. ૨૦૫૫) વ્યારા ગામ મધ્યે કાનપુરા વિસ્તારમાં ઉપાશ્રયની બાજુમાં શ્રી મુનિસુવ્રતસ્વામીનું નૂતન જિનાલય આવેલું છે. પુષ્કળ વરસાદને લીધે સાધુ મસા. દેવદર્શને જઈ શક્યા નહિ. તેમને ઉપવાસ કરવા પડ્યા હતા. આ મુશ્કેલી દૂર કરવા આજથી ૩૦ વર્ષ પૂર્વે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની ધાતુપ્રતિમા અત્રે પધરાવવામાં આવી હતી. જીર્ણોદ્ધાર કરી નવું વિશાળ ગૃહમંદિર બનાવી સં. ૨૦૫૫માં વૈશાખ વદ ૮ના રોજ આ. શ્રી રત્નસુંદરવિજયજી મ. સાની નિશ્રામાં પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી છે જેમાં મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની ૨૧” ઊંચી આરસપ્રતિમાની પ્રતિષ્ઠા શ્રીમતી સવિતાબહેન બાબુભાઈ મોતીચંદ શાહ પરિવાર દ્વારા થયેલ છે. ઉત્તરાભિમુખ આ ગૃહજિનાલય ધાબાબંધી છે. પ્રવેશદ્વાર પાસે હાથી શિલ્પો છે. રંગમંડપ જેવી રચના છે. અહીં જમણી બાજુ માણિભદ્રવીરનો ગોખ છે. ડાબી બાજુ ઉપર પાઠશાળામાં જવાનો રસ્તો છે. શત્રુંજય, ગિરનાર અને સમેતશિખરના પથ્થરમાં ઉપસાવી રંગકામ કરેલ પટ છે. એક કબાટમાં દસ ધાતુપ્રતિમા છે. પાસે સામ-સામે બે ગોખમાં વરુણયક્ષ અને વરદત્તા યક્ષિણીની આરસમૂર્તિઓ છે. સિદ્ધચક્ર મહામંત્ર છે. ગૌતમસ્વામીની આરસમૂર્તિ છે. આરસની છત્રીમાં મૂળનાયક સપરિવાર બિરાજે છે. કુલ પાંચ આરસપ્રતિમા છે. છત્રીને ફરતે પ્રદક્ષિણા થઈ શકે તેવી રચના છે. વૈશાખ વદ આઠમના રોજ છત્રી પર જ ધજા ચડે છે. શ્રી વ્યારા જૈન શ્વેમૂડ પૂ. સંઘ દ્વારા વહીવટ ચાલે છે. ટૂંકમાં આ જિનાલયનો સમય સં. ૨૦૫૫નો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy