SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ સુરતનાં જિનાલયો છે. તેમની જમણી બાજુ પદ્મપ્રભુની પ્રતિમા પર પણ સં૧૮૫૬નો લેખ છે. મૂળનાયકની ડાબી બાજુ શ્રી નમિનાથની પ્રતિમા પર સં. ૧૮૫૫નો તથા જમણી બાજુ શ્રી કુંથુનાથની પ્રતિમા પર સં. ૧૮૫૬નો લેખ છે. કુલ નવ આરસપ્રતિમા તથા પચીસ ધાતુપ્રતિમા છે. રંગમંડપમાંથી ડાબી બાજુના દ્વારે નીકળતાં સામે “મહાતીર્થ દર્શન' નામે એક મોટો રૂમ છે. તેમાં દીવાલો પર ગિરનાર, આબુ, શંખેશ્વર, સમેતશિખર, પાવાપુરી, નવપદજી, અષ્ટાપદ, પાવાપુરી, ચંપાપુરી જેવા પથ્થરમાં કોતરી રંગકામ કરેલા પટ છે. આ બધા પટ સં. ૨૦૩૫માં તૈયાર થયા છે. શત્રુંજયનો કાપડનો એક પટ છે. ઉપર શિખરમાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુસ્વામીની શ્યામ આરસની ૭” ઊંચી પ્રતિમા બિરાજે છે. તેના પર સં૨૦૧૭નો લેખ છે. જમણી તથા ડાબી બાજુ શ્રી મુનિસુવ્રતસ્વામી તથા શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પર પણ સં. ૨૦૧૭નો લેખ છે. અહીં કુલ ત્રણ આરસપ્રતિમા છે. 'ગામમાં બજારમાં જ શ્રાવક-શ્રાવિકાનો ઉપાશ્રય છે. શ્રાવિકાના ઉપાશ્રયને જૈન વાડી તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. ઉપાશ્રયમાં છેલ્લાં ૧૫ વર્ષથી પાઠશાળા ચાલે છે. ૫૦ પ્રિન્ટેડ પુસ્તકોવાળો જ્ઞાનભંડાર છે. ઉપાશ્રયમાં એક ઓરડીમાં માણિભદ્રવીરનું સ્થાનક છે. ઐતિહાસિક સંદર્ભ સ્થાનિક માહિતી પ્રમાણે સં. ૧૯૭૧માં વૈશાખ સુદ છઠને દિને પ્રતિષ્ઠા થયેલ છે. પરંતુ તે અગાઉ સં૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં મઢી સ્ટેશનથી ૧૦ માઈલ દૂર માંડવી તાલુકાના માંડવી ગામ વચ્ચે શ્રી વાસુપૂજયસ્વામીના આ ધાબાબંધી જિનાલયની નોંધ છે. તે સમયે દસ આરસપ્રતિમા તથા આઠ ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સાધારણ હતી. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં મઢીથી ૮ માઈલ દૂર માંડવી ગામમાં બજારમાં શ્રી વાસુપૂજયસ્વામીના શિખરબંધી જિનાલયનો ઉલ્લેખ છે. કુલ બાર આરસપ્રતિમા, સત્તર ધાતુપ્રતિમા ઉપરાંત ત્રણ રજત ચોવીસીપટ હતા. મૂર્તિલેખ સં. ૧૮૪૫ દર્શાવી હતી. જિનાલય સં. ૧૯૦૦ લગભગમાં બંધાયાની નોંધ હતી. વહીવટ શેઠ મગનલાલ નથુચંદ હસ્તક હતો. જિનાલયની સ્થિતિ સાધારણ હતી. ૧૫૦ જૈન કુટુંબો વસતાં હતાં તથા એક ઉપાશ્રય હતો. હાલ જિનાલયની સ્થિતિ સારી છે. વૈશાખ સુદ છઠની વર્ષગાંઠના દિવસે જમણવાર થાય છે અને શ્રી નગીનદાસ પાનાચંદ શાહ પરિવાર દ્વારા પરંપરાગત રીતે ધજા ચડે છે. વહીવટ શ્રી માંડવી જૈન શ્વે, મૂડ પૂ. સંઘના ટ્રસ્ટીઓ – શ્રી પ્રવીણભાઈ અમીચંદ શાહ, શ્રી અરવિંદભાઈ કસ્તુરચંદ શાહ, શ્રી અરવિંદભાઈ રતીલાલ શાહ, શ્રી કેતનકુમાર ધનસુખલાલ શાહ તથા શ્રી હિતેન્દ્રકુમાર પ્રેમચંદ શાહ હસ્તક છે. ટૂંકમાં આ જિનાલયનો સમય સં૧૯૬૩ પૂર્વેનો છે. તેથી વધુ પ્રાચીનતા નક્કી કરવા વધુ સંશોધનની જરૂર છે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy