SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો ૨૨૯ દીવાલો, ભગવાનની ગાદી અને ખંડેર ઉપાશ્રય અસ્તિત્ત્વમાં છે.” સં૧૯૬૩માં અનાવડ (અનાવલ) ગામમાં પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે. પાર્શ્વનાથના એ જિનાલયના કેટલાક અવશેષો, ઉપરની પત્રિકાની નોંધમાં જણાવ્યા મુજબ આજે પણ નજરે પડે છે. આજે વાસુપૂજયસ્વામીનું નૂતન જિનાલય છે. તેની પ્રતિષ્ઠા સં. ૨૦૫રમાં થયેલ છે. ગામ - માંડવી, તાલુકો - માંડવી ૨૯. શ્રી વાસુપૂજ્ય સ્વામી (સં. ૧૯૬૩ પૂર્વે) સુરત જિલ્લામાં સુરત શહેરથી ૬૫ કિ. મી., મઢી રેલ્વેસ્ટેશનથી ૧૬ કિ. મી. તથા કીમ રેલવે સ્ટેશનથી ૪૫ કિ. મી.ના અંતરે આવેલ માંડવી ગામમાં હાલ ૮૫% આદિવાસીઓ છે. જૈનોના કુલ ૮૦ ઘર છે. પૂર્વે આ ગામ ઇમારતી તથા દેશી લાકડા માટે તેમજ ખત્રી વણકરોના સાડીકામ માટે જાણીતું હતું. હાલ તુવેરદાળ માટે જાણીતું છે. હાલ માંડવી તાલુકા મથક છે. આઝાદી પછી પણ અન્ય ધંધા-ઉદ્યોગનો લાભ મળ્યો ન હોવાથી અહીં મુખ્ય વ્યવસાય ખેતી છે. હાલ ગામમાં ૧૦૦ વર્ષ જૂની હાઈસ્કૂલ છે. બજારમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીનું આરસનું બનેલું શિખરબંધી પ્રાચીન જિનાલય આવેલું છે. સં. ૧૯૭૧, સં. ૨૦૨૧, સં. ૨૦૨૭, સં. ૨૦૪૬માં ક્રમશઃ જિનાલયનો જીર્ણોદ્ધાર થયેલો છે. છેલ્લા જીર્ણોદ્ધાર વખતે સં. ૨૦૪૬માં વૈશાખ સુદ છઠને દિને શ્રી આનંદસાગરજી મ. સા.ની નિશ્રામાં નવી પ્રતિમા પણ ભરાવેલ છે. જમીનથી ૧૫ ફૂટ ઊંચું લેવલ લઈને જિનાલયનું બાંધકામ કરેલું છે. તેની નીચેની દીવાલે હાથી, ફૂલછોડ વગેરેનું ચિત્રાંકન છે. બન્ને બાજુ પગથિયાંની રચના છે. શૃંગારચોકીમાં રંગકામયુક્ત કમાનવાળા પ્રવેશદ્વારની આજુબાજુ બારી છે. - રંગમંડપમાં પ્રવેશતાં ડાબી બાજુ પદ્માવતીદેવીની આરસમૂર્તિ એક ગોખમાં બિરાજે છે અને જમણી બાજુ ગોખમાં પણ દેવીની આરસમૂર્તિ છે. સ્થંભો પર વાજિંત્ર સહિત વિવિધ મુદ્રામાં નારીશિલ્પો કંડારેલા છે. રંગમંડપમાં આજુબાજુ અન્ય બે દ્વાર છે. ગર્ભદ્વાર પાસે ડાબી બાજુ શ્રી શામળા પાર્શ્વનાથ અને સંભવનાથની આરસમૂર્તિઓના બે ગોખ છે. તેની સામે, જમણી બાજુ બે ગોખમાં શ્રી મહાવીરસ્વામી અને શ્રી અભિનંદનસ્વામી બિરાજે છે. ગર્ભદ્વાર ત્રણ છે. ૩૩” ઊંચી શ્રી વાસુપૂજયસ્વામીની પ્રતિમા પર સં. ૧૮૪૫નો લેખ છે. મૂળનાયકની પાછળની દીવાલે ચિત્રકામ થયેલું છે. ડાબા ગભારે શ્રી સંભવનાથ તથા જમણી બાજુ શ્રી ફેણીયા પાર્શ્વનાથ છે. તે પૈકી શ્રી ક્સીયા પાર્શ્વનાથની પ્રતિમા પર સં. ૧૮૫૬નો લેખ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy