________________
સુરતનાં જિનાલયો
૨૨૭ યક્ષિણીની આરસમૂર્તિના ગોખ છે. તે સૌની પ્રતિષ્ઠા સં. ૧૯૮૫માં મહા સુદ તેરશ થયેલ છે.
ગર્ભદ્વાર એક છે. ૧૫” ઊંચી મૂળનાયક શ્રી સંભવનાથની પ્રતિમા પર સં. ૧૮૪૫નો લેખ છે. પ્રતિમા ચમત્કારીક છે. કુલ પાંચ આરસપ્રતિમા તથા આઠ ધાતુપ્રતિમા છે. ફરતે પ્રદક્ષિણા માટેની ભોમતી છે જેમાં ત્રણ મંગલમૂર્તિ છે.
ઉપર શિખરમાં નાનો ગભારો છે જે ખાલી છે. ધજાદંડ વખતે તેમાં પ્રતિમા પધરાવી ધજા ચડાવાય છે. કુલ પાંચ ધજા ચડે છે. જિનાલયની સ્થિતિ મધ્યમ છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં મહુવા તાલુકામાં કરચલીઆ ગામની અંદર શ્રી સંભવનાથનું શિખર વિનાનું જિનાલય વિદ્યમાન હોવાની નોંધ છે. તે સમયે એક આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા હતી. સ્થિતિ સાધારણ હતી.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં નવસારીથી ૧૮ માઈલ દૂર મહુવા પોસ્ટઑફિસ ધરાવતા કરચલીઆ ગામમાં શ્રી સંભવનાથના શિખરબંધી જિનાલયનો ઉલ્લેખ છે. કુલ પાંચ આરસપ્રતિમા, સાત ધાતુપ્રતિમા તથા એક ગુરુમૂર્તિ હતી. મૂળનાયક પર સં. ૧૮૪૫નો લેખ હોવાનો તથા બંધાયા સં. ૧૯૭૭નો ઉલ્લેખ હતો. વહીવટ ઉમાભાઈ કપુરાજી હસ્તક હતો. સ્થિતિ સારી હતી. ૨૭૫ જૈન કુટુંબો વસતાં હતાં. એક ઉપાશ્રય તથા શ્રી વલ્લભવિજયજી જૈન પુસ્તકાલય હોવાની નોંધ હતી.
મહા સુદ તેરશની વર્ષગાંઠના દિવસે જમણવાર થાય છે. ધજાનો ચડાવો બોલાય છે. વહીવટ શ્રી શ્વે. મૂપૂ. જૈન સંઘ-કરચેલીયાના ટ્રસ્ટીઓ – શ્રી અમૃતભાઈ શાહ તથા શ્રી બિપીનભાઈ શાહ હસ્તક છે.
ટૂંકમાં જિનાલયનો સમય સં. ૧૯૬૩ પૂર્વેનો માની શકાય. પુનઃ પ્રતિષ્ઠા સં. ૧૯૭૭ તથા સં. ૧૯૮૫માં થયેલ છે.
ગામ - અનાવલ, તાલુકો - મહુવા
૨૮. શ્રી વાસુપૂજ્ય સ્વામી (સં. ૨૦૫૨) મહુવા તાલુકાથી ૩૨ કિ. મી.ના અંતરે આવેલ અનાવલ ગામ બીલીમોરા-વધઈ નેરોગેજ રેલવે પર આવેલું સ્ટેશન છે. વેપારનું ધમધમતું મથક છે. ગુજરાતના પાટનગર તથા ઉદ્યોગ શહેરો સાથે માત્ર રેલવે માર્ગ જ નહીં પણ બસ માર્ગે પણ જોડાયેલું છે. ગુજરાતનાં શહેરો સિવાય મહારાષ્ટ્રના નાસિક, શિરડી જેવાં શહેરો સાથે નિયમિત બસ વ્યવહારથી જોડાયેલું છે. હાલ ત્રણ જૈન કુટુંબો વસે છે. નવા ઉપાશ્રયનું કામ ચાલે છે. દર રવિવારે પાઠશાળા ચાલે છે.
આશરે ૧૨ વર્ષ પૂર્વે આ શ્રી ભુવનભાનુસૂરીશ્વર મહારાષ્ટ્રના કોલ્હાપુર નગરના વિહાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org