SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૪ સુરતનાં જિનાલયો ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં મઢી સ્ટેશનથી ૫ ગાઉના અંતરે આવેલા કડોદ ગામ વચ્ચે શ્રી શાંતિનાથના શિખરબંધી જિનાલયનો ઉલ્લેખ છે. કુલ દસ આરસપ્રતિમા તથા છ ધાતુપ્રતિમા હતી. સં. ૧૯૫૪માં શ્રી સંઘ દ્વારા જિનાલય બાંધવામાં આવેલું હતું. સં. ૧૯૬૩માં કામ ચાલુ હોવાની અને અપૂર્ણ હોવાની નોંધ છે. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં મઢીથી ૬ માઈલ દૂર આવેલ કડોદ ગામમાં બજાર વચ્ચે શ્રી શાંતિનાથના શિખરબંધી જિનાલયનો ઉલ્લેખ છે. કુલ આઠ આરસપ્રતિમા તથા ચાર ધાતુપ્રતિમા હતી. સં. ૧૯૫૪માં શ્રી સંઘે જિનાલય બંધાવ્યું હતું. મૂળનાયક પર સં ૧૯૫૧નો મૂર્તિલેખ હોવાની નોંધ મળે છે. વહીવટ શેઠ છોટાલાલ મોતીચંદ હસ્તક હતો. સ્થિતિ સાધારણ હતી. ભોંયરામાં પ્રતિમાજી હોવાની વિશેષ નોંધ હતી. તે સમયે ગામમાં એક લાઇબ્રેરી, એક ઉપાશ્રય અને એક ધર્મશાળા હોવાની નોંધ હતી. ૧૨૫ જૈન કુટુંબ હતાં. ' ' સં. ૨૦૧૩માં જૈન ધર્મનાં યાત્રાસ્થળો ગ્રંથમાં કડોદ ગામ તથા જિનાલય વિશે નીચે મુજબની નોંધ છે : મઢી ટીવી રેલવેનું સ્ટેશન છે. મઢીથી બસ જાય છે. શ્રી શાંતિનાથ પ્રભુનું મંદિર છે. ઉપાશ્રય પણ છે.” મહા વદ બીજને વર્ષગાંઠના દિવસે જમણવાર થાય છે. શ્રી જયંતિભાઈ અમીચંદ શાહ પરિવાર દ્વારા કાયમી ધજા ચડે છે. વહીવટ શ્રી જે. મૂ. જૈન સંઘ-કવેદના ટ્રસ્ટીગણ – શ્રી પિનાકીનભાઈ રાયચંદ શાહ, શ્રી પારસભાઈ કુમુદચંદ્ર શાહ, શ્રી કૌશિકભાઈ રાયચંદ શાહ તથા શ્રી સાકરચંદ ચુનીલાલ શાહ હસ્તક છે. ટૂંકમાં જિનાલયનો સમય સં. ૧૯૫૪નો છે. ગામ - મઢી, તાલુકો - બારડોલી ૨૫. શ્રી અભિનંદન સ્વામી (સં. ૧૯૮૨) સુરત શહેરથી ૫૬ કિ. મી.ના અંતરે તાપ્તી લાઈન પર આવેલાં મઢી ગામનો બારડોલી તાલુકામાં સમાવેશ થાય છે. તાલુકા મથકથી ૨૩ કિ. મી.ના અંતરે છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન સાથે સંકળાયેલું મહત્ત્વનું સ્ટેશન છે. લોકોનો મુખ્ય ઉદ્યોગ ખેતી છે. ઉપરાંત હીરાઉદ્યોગ, સુગર ફેક્ટરી, તુવેરદાળ તથા ખમણી માટે પણ જાણીતું છે. અહીં ૬૦ થી ૭૦ જૈન કુટુંબો વસે છે. શ્રાવક-શ્રાવિકાનો એકેક ઉપાશ્રય છે. ઉપાશ્રયમાં પાઠશાળા ચાલે છે. જ્ઞાનભંડારમાં 800 પ્રિન્ટેડ પુસ્તકો છે. બજારમાં બેંક ઓફ બરોડા સામે આરસનું બનેલું શ્રી અભિનંદન સ્વામીનું ત્રણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy