SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩ સુરતનાં જિનાલયો ગામ - કડોદ, તાલુકો - બારડોલી / ૨૪. શ્રી શાંતિનાથ (સં. ૧૯૫૪) બારડોલી તાલુકાથી ૧૮ કિ. મી.ના અંતરે બારડોલીથી માંડવી જવાના માર્ગ પર કડોદ ગામ આવેલું છે. ગામમાં હાલ ૩૦ જૈન કુટુંબો વસે છે જે મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગામમાં બજારમાં શ્રાવક-શ્રાવિકાનો કોમન ઉપાશ્રય છે. બજારમાં શ્રી શાંતિનાથનું ભોંયરાયુક્ત શિખરબંધી જિનાલય આવેલું છે. આરસ તથા સાદા પથ્થરનું બનેલું આ જિનાલય પશ્ચિમાભિમુખ છે. પ્રવેશતાં આપણી જમણી બાજુ, કંપાઉંડમાં ત્રણ દેવકુલિકા જેવી રચના છે જેમાં પદ્માવતીદેવી, માણિભદ્રવીર તથા ઘંટાકર્ણવીરની મૂર્તિઓ છે. તેની પ્રતિષ્ઠા સં ૨૦૪૬ના મહા સુદ તેરશના રોજ થયેલ છે. રંગમંડપમાં ચાર ગોખમાં ચાર આરસપ્રતિમા તથા કૌલીમંડપમાં સામ-સામે ગોખમાં ગરુઠ્યક્ષ અને નિર્વાણીયક્ષિણી બિરાજે છે. દીવાલે શત્રુંજય, સમેતશિખર, નવપદજી અને અષ્ટાપદના ચિત્રિત કરેલા પટ છે. રંગમંડપમાં આજુબાજુ અન્ય બે દ્વાર પૈકી ડાબી બાજુના દ્વારેથી બહાર નીકળતાં એક દેરી છે જેમાં આરસનાં પગલાંની એક જોડ છે. લેખ સુવાચ્ય નથી. તેની બાજુની દીવાલે નંદીશ્વરદ્વીપ, નેમનાથ પ્રભુની જાનનું દશ્ય તથા પાવાપુરી વગેરેનું ચિત્રકામ છે. , જમણી બાજુના દ્વારેથી નીચે ભોંયરામાં જવાનો રસ્તો છે. ૨૩” ઊંચી મૂળનાયક શ્રી શાંતિનાથ સહિત કુલ ત્રણ આરસપ્રતિમા તથા દસ ધાતુ પ્રતિમા છે. મૂળનાયકની પાછળ દીવાલે શાંતિનાથના ભવનું ચિત્રાંકન છે. મૂળનાયક પર સં ૧૯૫૧નો લેખ છે. - ભોંયરામાં ૧૭” ઊંચી (ફણા સાથે ૨૩”) શ્રી વિઘ્નહર પાર્શ્વનાથની મનોહર પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. કુલ ત્રણ આરસપ્રતિમા છે. અહીં પણ મૂળનાયક પર સં. ૧૯૫૧નો લેખ છે. પાછળની દીવાલે ચિત્રાંકન છે. ભોંયરાની રચના તથા બારડોલીના શાંતિનાથના જિનાલયના ભોંયરાની રચના સમાન જણાય છે. ઉપર શિખરમાં પણ જિનાલયની રચના છે. ૧૩” ઊંચી મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા પર સં. ૨૦૦૫નો લેખ છે. કુલ ત્રણ આરસપ્રતિમા છે. ડાબી બાજુ બિરાજમાન નમિનાથની પ્રતિમા પર સં. ૨૦૦૫નો લેખ છે તથા જમણી બાજુ શ્રી આદેશ્વરની પ્રતિમા પર સં. ૨૦૨નો લેખ છે. આ ત્રણેય પ્રતિમાની પ્રતિષ્ઠા સં. ૨૦૧૭માં થયેલ છે. જિનાલયમાં કુલ તેર આરસપ્રતિમા તથા દસ ધાતુપ્રતિમા છે. સં. ૨૦૧૭માં શ્રી ક્ષમાસાગરજી મ. સા.ની નિશ્રામાં તથા સં૨૦૪૬માં શ્રી સુબોધસાગરજી તથા શ્રી મનોહરકીર્તિસાગરજીની નિશ્રામાં જીર્ણોદ્ધાર થયેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy