SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ સુરતનાં જિનાલયો ભોંયરામાં બિરાજમાન શ્રી મહાવીરસ્વામીની ૨૫” ઊંચી પ્રતિમાને લેપ કરેલ છે. કુલ પાંચ આરસપ્રતિમા છે. પાછળની દીવાલે સુંદર ચિત્રાંકન છે. આરસનાં પગલાંની એક જોડ છે. ઉપરના શિખરમાં નાના ગભારાની રચનામાં ધાતુની ચૌમુખી પ્રતિમા પધરાવેલ છે. શ્રી આદેશ્વર કંપાઉંડમાં જ શ્રી આદેશ્વરનું શિખરબંધી દક્ષિણાભિમુખ જિનાલય આવેલું છે. ગર્ભદ્વાર પર મયણાસુંદર-શ્રીપાલરાજાના પ્રસંગનું ચિત્રકામ છે. સામ-સામે ગોખમાં યક્ષયક્ષિણીની આરસમૂર્તિ છે. આદેશ્વર પ્રભુના આ જિનાલયની પ્રતિષ્ઠા સં૧૯૪૮માં મહા સુદ પાંચમે શુક્રવારે શ્રી વિજય મહેન્દ્રસૂરિ મ. સા.ની નિશ્રામાં થયેલ છે. આગરાવાલા રાધાકૃષ્ણના પુત્ર ઠીકારામે આરસથી આ જિનાલય બંધાવ્યું અને ગામ કોપરાના શારૂપા મોતીજીની પત્ની મણિએ જિનાલય બંધાવ્યું તેવી નોંધ શિલાલેખમાં છે. મૂળનાયક શ્રી આદેશ્વર ૧૯” ઊંચી છે. ડાબી બાજુ શ્રી મહાવીરસ્વામી તથા જમણી બાજુ શ્રી અજિતનાથ છે. કુલ પાંચ આરસપ્રતિમા છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં બારડોલી તાલુકાના બારડોલી ગામમાં બજાર વચ્ચે શ્રી શાંતિનાથ તથા શ્રી આદેશ્વરના બે શિખરબંધી જિનાલયનો ઉલ્લેખ છે. શાંતિનાથના જિનાલયમાં કુલ સાત આરસપ્રતિમા, સાત ધાતુપ્રતિમા તથા પગલાંની જોડ હતી. સં. ૧૯૪૮માં જિનાલય બંધાયું હતું સ્થિતિ સારી હતી. શ્રી આદેશ્વરનું જિનાલય સં. ૧૯૪૮માં જ શા. રૂપાજી મોતીજીએ બંધાવેલ હતું. કુલ આઠ આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં બારડોલી બજારમાં શાંતિનાથના માત્ર એક જ જિનાલયનો ઉલ્લેખ છે. જિનાલય શિખરબંધી હતું. કુલ વીસ આરસપ્રતિમા, દસ ધાતુપ્રતિમા તથા એક રજત ચોવીસી હતી. ભોંયરામાં પણ પ્રતિમા હતી. સં. ૧૯૦૦ લગભગમાં જિનાલય બંધાયાનો ઉલ્લેખ હતો. વહીવટ શેઠ લલ્લુભાઈ જમનાજી હસ્તક હતો. જિનાલયની સ્થિતિ સારી હતી. તે સમયે ગામમાં ત્રણ ઉપાશ્રય તથા એક ધર્મશાળા હતી. ૩૦૦ જૈનો હતા. મહા સુદ પાંચમની વર્ષગાંઠના દિવસે જમણવાર થાય છે અને ધજાનો ચડાવો બોલાય છે. વહીવટ શ્રી બારડોલી જૈન શ્વે. મૂ. પૂ. સંઘના ટ્રસ્ટીઓ – શ્રી ઉન્મેશભાઈ ઇન્દુભાઈ શાહ, શ્રી ભરતભાઈ મગનલાલ શાહ, શ્રી રાજુભાઈ કાંતિલાલ શાહ તથા શ્રી દીપકભાઈ મગનલાલ શાહ હસ્તક છે. ટૂંકમાં આ બન્ને જિનાલયોની પ્રતિષ્ઠા સં. ૧૯૪૮માં થયેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy