________________
સુરતનાં જિનાલયો
૨૧૭ વસંતલાલ રૂપચંદ શાહ જૈન પાઠશાળા સીયોદરાવાળા જૈન આરાધના ભવનમાં ચાલે છે. શ્રી શ્રુતસાગર જ્ઞાનભંડાર છે જેમાં ૨૩૦૦ પુસ્તકો પૈકી ૩00 હસ્તપ્રતો છે.
અહીં શ્રી શાંતિનાથ-આદેશ્વરનું જિનાલય (સરદાર ચોક), શ્રી કુંથુનાથ (હીરાચંદનગર)એમ બે જિનાલયો તથા ધીરુભાઈ મોતીચંદ શાહ પરિવારનું શ્રી શીતલનાથનું ઘરદેરાસર (જનતાનગર સોસાયટી), મહેન્દ્રભાઈ દેવચંદ શાહ પરિવારનું પાર્શ્વનાથનું ઘરદેરાસર (તેન રોડ, સ્ટેશન સામે), નીતિનકુમાર વાડીલાલ શાહ પરિવારનું શ્રી પાર્શ્વનાથનું ઘરદેરાસર (હીરચંદનગર) તથા માણેકચંદ લલ્લુભાઈ શાહ પરિવારનું શ્રી વાસુપૂજયસ્વામીનું ઘરદેરાસર – એમ ચાર ઘરદેરાસર છે.
ગામ - બારડોલી, તાલુકો - બારડોલી - ૧૭. શ્રી શાંતિનાથ (સં. ૧૯૪૮)
- શ્રી આદેશ્વર (સં. ૧૯૪૮) સરદારચોક મધ્યે એક જ પ્રીમાઈસીસમાં શ્રી શાંતિનાથ તથા શ્રી આદેશ્વર – એમ બે જિનાલયો આવેલા છે. આરસનું બનેલું શ્રી શાંતિનાથનું ભોંયરાયુક્ત શિખરબંધી જિનાલય આવેલું છે. જિનાલય બહારથી ઘર જેવી બાંધણી ધરાવે છે. ભોંયરામાં શ્રી મહાવીરસ્વામી મૂળનાયક છે.
- જિનાલયના કંપાઉંડમાં જમણી બાજુ યતિની ગાદી છે. તેની બાજુમાં માણિભદ્રવીરનું સ્થાનક છે. પાસે પૂજારીની રૂમ છે. ડાબી બાજુ મહિન્દ્રાબહેન જયંતિલાલ શાહ – શ્રાવકનો ઉપાશ્રય અને સ્વ. માણેકબહેન કાલીદાસ - બચુબહેન છગનલાલ શ્રાવિકા આરાધના ભવન – એમ ઉપર-નીચે બે માળનો ઉપાશ્રય છે. ઉપાશ્રયમાં નીચે પાઠશાળા ચાલે છે.
ડાબી બાજુ ગુરુમંદિરમાં આ. શ્રી વિજયકમલસૂરિ મ. સા.ની આરસની ગુરુમૂર્તિ સં. ૨૦૦૨ માગશર સુદ દશમના રોજ પ્રતિષ્ઠિત કરેલ છે. તેઓની સામેની બાજુ શ્રી જિનદત્તસૂરિ મ. સા.ના આરસનાં પગલાંની બે જોડ છે.
શ્રી શાંતિનાથ જિનાલયના પગથિયાં પાસે હાથીનાં શિલ્પો છે. રંગમંડપમાં ઘુમ્મટમાં વાજિંત્ર સહિત વિવિધ મુદ્રામાં શિલ્પાકૃતિઓ છે. શત્રુંજય, ગિરનારના આરસમાં કોતરી રંગકામ કરેલ પટ છે. ગર્ભદ્વાર પાસે સામ-સામે ગોખમાં યક્ષ-યક્ષિણીની આરસમૂર્તિ છે જેના પર સં. ૧૯૯૬ના કારતક વદ પાંચમને શુક્રવારે પ્રતિષ્ઠા થયાનો લેખ છે.
મૂળનાયક શ્રી શાંતિનાથની ૧૭” ઊંચી પ્રતિમા સહિત કુલ પાંચ આરસપ્રતિમા તથા સત્તર ધાતુપ્રતિમા છે. ગૌતમસ્વામીની આરસમૂર્તિ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org