SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ સુરતનાં જિનાલયો જિનાલયનો સમય સં. ૨૦૦૬નો છે. નોંધ : ભવિષ્યમાં શિખરબંધી જિનાલય બનાવવાની યોજના છે. ગામ - ચલથાણ, તાલુકો - પલસાણા ૧૬. શ્રી કુંથુનાથ (સં. ૨૦૫૦) સુરત જિલ્લાના પલસાણા તાલુકાથી ૧૦ કિ.મી.ના અંતરે, સુરતથી ૧૮ કિ. મી. અને કડોદરા ચોકડીથી ૨ કિ. મી.ના અંતરે ચલથાણ ગામ આવેલું છે જે તાપ્તી લાઈનનું રેલવે સ્ટેશન છે. હાલ સુગર ફેક્ટરીના કારણે પણ તેનું મહત્ત્વ છે. ગામમાં સ્થાનકવાસી, દેરાવાસી, તેરાપંથી મળીને લગભગ ૬૦૦ માણસોની વસ્તી છે. વર્ષમાં પાંચ થી છવાર સંઘજમણ થાય છે. હાલ ગામમાં આઠ દેરાવાસી કુટુંબો વસે છે. સં. ૨૦૫૦માં મુંબઈ-બોરીવલી નિવાસી શ્રી મુક્તિભાઈ મણિલાલ મોરબીયા પરિવારે આ શિખરબંધી જિનાલય બંધાવ્યું. અને તેઓ દ્વારા જ સં. ૨૦૫૦માં મહા સુદ તેરશના દિને પં. શ્રી ચંદ્રશેખરવિજય મ. સા.ના શિષ્ય શ્રી ધર્મરતિવિજયજી તથા શ્રી વિશ્વરક્ષિતવિજયજી મ. સા.ની નિશ્રામાં પ્રતિષ્ઠા કરવામાં આવી અને મૂળનાયક તરીકે શ્રી કુંથુનાથની ૧૯” ઊંચી આરસપ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. જિનાલય પશ્ચિમાભિમુખ છે. ગંધર્વયક્ષ તથા અચ્યુંતાદેવી યક્ષિણીની આરસમૂર્તિઓ છે. કુલ ત્રણ આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા છે. મૂળનાયક પર સં. ૨૦૪૯નો લેખ છે. વર્ષગાંઠ મહા સુદ તેરશના દિવસે જમણવાર થાય છે. ધજાનો ચડાવો બોલાય છે. વહીવટ શ્રી વર્ધમાન જૈન સંઘ દ્વારા થાય છે. જિનાલયની બાજુમાં જ શ્રાવક-શ્રાવિકાનો – એમ બે ઉપાશ્રય છે. જિનાલયની જમણી બાજુ ફૂલવાડી તથા પાછળના ભાગમાં પૂજારીનું ઘર છે. ગામ - બારડોલી, તાલુકો - બારડોલી લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલને “સરદાર' બિરુદ અપાવનારું ગૌરવવંતું શહેર બારડોલી સુરતથી ૩૪ કિ. મી.ના અંતરે આવેલું તાપ્તી લાઈન પરનું જંકશન છે. વર્તમાનમાં બારડોલી સુગર ફેક્ટરી એશિયા ખંડમાં બીજો ક્રમ ધરાવે છે. અહીં સરદાર મ્યુઝિયમ છે. કુલ ૧૨૫ જૈન કુટુંબો વસે છે. છેલ્લા ૧૦ વર્ષમાં ૫ વ્યક્તિઓએ દીક્ષા લીધેલ છે. ૧. શા. રસિકલાલ મગનલાલ આરાધના ભવન, ૨. શાંતાબહેન દેવચંદ ગુલાબચંદ સીઓદરાવાળા જૈન આરાધના ભવન (બાફના સ્ટોર્સની પાછળ, નગીન દેસાઈની ચાલ), ૩. તારાબહેન મગનલાલ શાહ – હંસાબહેન વસંતલાલ શાહ આરાધના ભવન (ઉપર) શા. હરખચંદ છમનાજી છાજેડ (નીચે) – એમ બે શ્રાવક ઉપાશ્રય તથા એક શ્રાવિકાનો ઉપાશ્રય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy