SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો ૨૧૫ જિનાલયનો જીર્ણોદ્ધાર આશરે ૧૦ વર્ષ પૂર્વે થયેલ છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં સચીનથી અઢી માઈલ દૂર આવેલ વાંઝ ગામના દેરાસરવાળા ફળિયામાં શ્રી અજિતનાથના શિખરબંધી જિનાલયમાં પાંચ આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા હોવાની નોંધ છે. મૂળનાયક પર સં. ૧૮૧૨નો લેખ છે. વહીવટ શેઠ જીવણલાલ કપુરાજી હસ્તક હતો અને સ્થિતિ સારી હતી. તે સમયે ગામમાં ૨૫ જૈન કુટુંબો હતાં. એક ઉપાશ્રય અને એક જૈન પુસ્તકાલય હતાં. જિનાલય સં. ૧૯૪૫માં બંધાયું હતું. પરંતુ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ થયો નથી. મહા સુદ છઠ – વર્ષગાંઠના દિવસે જમણવાર થાય છે અને શ્રી નગીનચંદ હેમચંદ શાહ પરિવાર દ્વારા કાયમી ધજા ચડે છે. વહીવટ શ્રી અજિતનાથ જૈન શ્વે. મૂ. સંઘના ટ્રસ્ટીગણ – શ્રી ગુણવંતલાલ મગનલાલ શાહ (સુરત) તથા શ્રી ઈશ્વરલાલ ગુલાબચંદ શાહ હસ્તક છે. હાલ નવા ટ્રસ્ટી નીમવા અંગે ચેરીટી કમિશ્નરની કચેરીમાં અરજી કરેલ છે. જૈન તીર્થ સર્વસંગ્રહના આધારે આ જિનાલયનો સમય સં. ૧૯૪૫ માની શકાય. ગામ - સચીન, તાલુકો - ચોર્યાસી ૧૫. શ્રી કુંથુનાથ (સં. ૨૦૦૬) સુરતથી ૧૫ કિ. મી. દૂર સચીન ગામ આવેલું છે. સચીન પશ્ચિમ રેલવેનું સ્ટેશન છે. હાલ GIDCને કારણે જાણીતું બન્યું છે. છેલ્લા ૫૦ વર્ષમાં એક વ્યક્તિએ દીક્ષા લીધી છે. હાલ ૧૦ થી ૧૨ જૈન ઘર છે. એક છાપરાબંધી જિનાલય તથા શ્રાવકનો એક ઉપાશ્રય છે. વાંઝના શેઠ જીવણલાલ કપૂરાજીએ દેરાસર તથા ઉપાશ્રય માટેની જગ્યા (મકાન) સં. ૨૦૦૬માં સચીન જૈન સંઘને અર્પણ કરેલ. જ્યાં સં. ૨૦૦૬માં જ પૂ. આ. શ્રી રામચંદ્રસૂરિજી મ. સા.ની નિશ્રામાં શ્રી કુંથુનાથનું છાપરાબંધી જિનાલય બાંધવામાં આવ્યું. - હાલ પહેલે માળા (ઉપરના માળે) જિનાલય તથા નીચે ઉપાશ્રય છે. સુરતથી નવસારી જવાના માર્ગ પરનું સચીન વિહારનું કેન્દ્ર છે. (૩” ઊંચી શ્રી કુંથુનાથની પંચતીર્થી ધાતુપ્રતિમા પરિકર સાથે ૧૧” ઊંચી છે. પ્રતિમા પર સં. ૧૫૫૮નો લેખ છે. કુલ ચાર ધાતુપ્રતિમા છે. ફરતે પ્રદક્ષિણા થઈ શકે તેવી રચના છે. શત્રુંજય તીર્થનો ચિત્રિત કરેલો પટ છે. શ્રી કુંથુનાથના આ જિનાલયની વર્ષગાંઠ જેઠ સુદ પૂનમે આવે છે. જમણવાર થાય છે. ધજા ચડતી નથી. વહીવટ શ્રી કુંથુનાથ જૈન દેરાસર શ્વે, મૂક સંઘના ટ્રસ્ટીગણ – શ્રી કિરીટભાઈ નટવરલાલ શાહ, શ્રી નવીનચંદ્ર મોતીચંદ શાહ તથા શ્રી ભીખુભાઈ છોટાલાલ શાહ હસ્તક છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy